રાજ્યની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં, ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ...

ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી.

New Update

ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનું ભવ્ય આયોજન

રથયાત્રા પૂર્વે પારંપરિક ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય

શાસ્ત્રોક્ત વિધિ સહિત ભગવાનની આંખો પર પટ્ટી બંધાય

અષાઢી બીજના રોજ આંખો પરથી પટ્ટી ખોલવામાં આવશે

નેત્રોત્સવ વિધિ દરમ્યાન મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી. જેમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે ભગવાન જગન્નાથજીબલભદ્ર અને બહેન સુભદ્રાની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. તા. 7 જુલાઈ અષાઢી બીજના રોજ આંખો પરથી આ પટ્ટી ખોલવામાં આવશે અને ભગવાન નગરયાત્રાએ નીકળશે.

આગામી તા. 7 જુલાઈ અષાઢી બીજના રોજ અમદાવાદ બાદ રાજ્યની બીજા નંબરની 39મી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની હોયત્યારે આજે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી-બલભદ્ર અને બહેન સુભદ્રાની પારંપરિક વિધિ અનુસાર આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. વાયકા પ્રમાણે ભગવાન જ્યારે તેના મોસાળ ગયા હોય છેત્યારે તે સમયે ત્યાં કેરીજાંબુસિંગ અને ગોળ જેવી અનેક સામગ્રીને આરોગતા તેમની આંખો આવી જાય છેજ્યારે તે તેમના નગરમાં રથમાં પરત ફરે છે,

 ત્યારે તેમની આંખમાં પવન ન લાગે તે માટે તેમની આંખોમાં મધ લગાવી પટ્ટી બાંધવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથજીબલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ઘરે દ્વારિકા પરત ફરે છેઅને ઘરે પરત આવ્યા બાદ અષાઢી બીજના દિવસે આંખો પરની પટ્ટી ખોલવામાં આવે છે. મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થતાં ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેને લઇને દ્વારિકા નગરીમાં નીકળે છેજેની ઉજવણી આપણે રથયાત્રા તરીકે કરીએ છીએજ્યારે સાથે રથ પર નીલચક્ર અને હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ નેત્રોત્સવ વિધિ પ્રસંગે રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

 

#Gujarat #Bhavnagar #Rathyatra #Jay Jagannath #Jagannath Rath Yatra
Here are a few more articles:
Read the Next Article