Connect Gujarat
ગુજરાત

ચોટીલા-રાજકોટ હાઇવે પર એમ્બ્યુલન્સનો ગમખ્વાર અકસ્માત, એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત

ચોટીલા-રાજકોટ હાઇવે પર એમ્બ્યુલન્સનો ગમખ્વાર અકસ્માત, એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત
X

ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપગીગાના ઓટલા નજીક અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર પેશન્ટ સાથે રહેલા તેમના બેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઇવરના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

જાણવા મળતી વિગત મુજબ ગત રાત્રે ૧૦:૩૦ વાગ્યા આસ પાસ ચોટીલા રેફરલ હોસ્પિટલમાં ઘર કંકાસમાં માર જુડ થતા ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરેશભાઈ મકવાણા(ઉ. વ. આશરે ૩૫) ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની ૧૮ વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા. ત્યારે તેમના રાજકોટ રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા. ચોટીલા રેફરલ હોસ્પિટલે સારવાર બાદ દર્દીએ ડોકટરને વધારે તકલીફ થતી હોવાથી રાજકોટ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું. એ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોઈ ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીની જીદ્દના કારણે રિફર કરાયા હતા. જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા(ઉ. વ. આશરે ૩૫ રહે. રાજપરા) અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા(ઉ. વ. ૧૮ રહે. રાજપરા) અને તેમના મોટાબેન મિયત્રા ગીતાબેન જયેશભાઈ(ઉ. વ. ૪૭ રહે. રાજકોટ) અને બનેવી જયેશભાઈ મિયાત્રા(રહે. રાજકોટ) તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યા હતા. ત્યારે ચોટીલાથી રાજકોટ તરફ ફકત કી.મી. આગળ એમ્બ્યુલન્સ આપાગીગાના ઓટલા નજીક કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકા ભેર અથડાતાં એક સાઈડનો કૂચડો બોલી ગયો હતો. ૧૦૮ની મદદથી બધા દર્દીઓને ચોટીલા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના ડોકટરે ગીતાબેન જયેશભાઈ મિયાત્રાને મૃત જાહેર કર્યા હતા. તેમજ પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજયભાઈ જીવાભાઈ બાવળિયા(ઉ. વ. આશરે ૪૦ રહે. ચોટીલા) ને ૧૦૮ મારફતે રાજકોટ રિફર કરાયા હતા. જે બંને રાજકોટ પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યા હતા.

Next Story