અરવલ્લી : મોડાસામાં હંગામી બસ સ્ટેન્ડમાં ભરાયા વરસાદી પાણી, ગંદકી-દુર્ગંધના પગલે મુસાફરો ત્રસ્ત

વરસાદમાં પાણી ભરાવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બસ સ્ટેન્ડના પ્રવેશતા જ મસમોટા ખાડા અને ખાડામાં ભરાયેલું પાણી મુસાફરોને હેરાન-પરેશાન કરી રહ્યું છે

New Update

મોડાસામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી

મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડમાં પણ ભરાયું પાણી

ઠેર ઠેર ગંદકી અને અતિશય દુર્ગંધથી મુસાફરોને હાલાકી

બસ સ્ટેન્ડમાં ક્યાંથી જવું તેની પણ મુસાફરોને મુંજવણ

સમસ્યાનું નિરાકરણ લાવવા મુસાફરો દ્વારા માગ ઉઠી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભારે વરસાદના કારણે હંગામી બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા ઠેર ઠેર ગંદકી અને અતિશય દુર્ગંધના પગલે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં થોડા વરસાદમાં જ શહેરના હંગામી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. મોડાસા શહેરમાં આધુનિક બસ પોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છેતેવામાં શહેરના મેઘરજ રોડ પર આવેલી સહકારી જિન કમ્પાઉન્ડમાં હંગામી બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.

પરંતુ અહીંયા થોડાં વરસાદમાં પાણી ભરાવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બસ સ્ટેન્ડના પ્રવેશતા જ મસમોટા ખાડા અને ખાડામાં ભરાયેલું પાણી મુસાફરોને હેરાન-પરેશાન કરી રહ્યું છે. મુસાફરોને બસ સ્ટેન્ડમાં કઈ જગ્યાએથી પ્રવેશવું તે પણ મુંજવણ ભર્યો પ્રશ્ન બની રહે છે. તો બીજી તરફબસ સ્ટેન્ડમાં ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છેત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યા ઉકેલાય તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.