અરવલ્લી : એકલવ્ય શાળાના શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું, પીડિતાએ લખાવી પોલીસ ફરિયાદ...

New Update
અરવલ્લી : એકલવ્ય શાળાના શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું, પીડિતાએ લખાવી પોલીસ ફરિયાદ...

અરવલ્લીમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી

શાળાના શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું

જાનથી મારી નાખવાની ધમકી આપતા શિક્ષિકાએ લખાવી પોલીસ ફરિયાદ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાના એક શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.

શામળાજી ભિલોડા રોડ ઉપર શામલપુર ગામની સીમમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા વિજયનગરના ડગલા ગામના શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયાએ આ જ સ્કૂલ કેમ્પસમાં ફરજ બજાવતી શિક્ષિકાને વિશ્વાસમાં લઈ બે દિવસ અગાઉ સાંજે પોતાની બાઇક પર બેસાડી ખોડંબાથી કુસકી તરફના રોડ ઉપર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, ત્યાર બાદ શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં શિક્ષિકાએ શિક્ષક વિરુદ્ધ મોડાસાના ટીંટોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વિજયનગરના ડગલાના લંપટ શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે શિક્ષિકાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે, પરંતુ શિક્ષણ જગતને કલંક લગાડતી આ ઘટના બાદ શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું.

Latest Stories