ભાવનગર : તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીના શ્રી ગણેશ, ખેડૂતોમાં ખુશીનો માહોલ...

તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 291 રૂપિયાના ભાવમાં ડુંગળીનો પ્રથમ માલ વેચાયો હતો.

New Update
ભાવનગર : તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીના શ્રી ગણેશ, ખેડૂતોમાં ખુશીનો માહોલ...

ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થતાં હરાજી માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી તેમજ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ખેડૂતોને ડુંગળી માર્કેટિંગ યાર્ડ મહુવા લઈ જવી પડતી હતી, તેમજ કેટલાક ખેડૂતો ડુંગળી ભાવનગર પણ લઈ જતા હતા. ખેડૂતોને વાહન ભાડા સહિતનો ખર્ચ વધી જતો હોય, જેના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવતા હતા. પરંતુ હવે તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 291 રૂપિયાના ભાવમાં ડુંગળીનો પ્રથમ માલ વેચાયો હતો. આ સમયે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીત પરમાર તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજી પંડ્યા, ઉપપ્રમુખ તેમજ માર્કેટિંગ યાર્ડના વિવિધ હોદ્દેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ હતું કે, ડુંગળીની હરાજીનું કામ આજથી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે તળાજા તાલુકા તેમજ અન્ય તાલુકાના ખેડૂતોને પણ ડુંગળીનો માલ તળાજા માર્કેટિંગ યાર્ડમાં લાવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

Read the Next Article

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થીની ચેટ આવી સામે

સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું

New Update
Seventh Day School Khokhra

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી હતી તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

Seventh Day School Khokhra

મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યાની તપાસ કરી રહ્યા છે.

Latest Stories