ચૈતર વસાવાને “રાહત” : નર્મદા-ભરૂચમાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ, મત વિસ્તારથી MLAને દૂર રાખવાથી નુકશાન : HC

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નર્મદા પોલીસે જમીન મામલે વન વિભાગના અધિકારીઓને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી.

New Update

AAPના MLA ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટની રાહત

નર્મદા - ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધથી મુક્તિ અપાય

મત વિસ્તારથી ધારાસભ્યને દૂર રાખવાથી નુકશાન : HC

ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર ચૈતર સામે સુપ્રીમ કોર્ટ ગઈ હતી

ચૈતર વસાવાને રાહત મળતા સમર્થકોમાં ખુશીનો માહોલ

 મત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકશાન જતું હોવાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાહત સાથે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

 નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નર્મદા પોલીસે જમીન મામલે વન વિભાગના અધિકારીઓને માર મારવાધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. જેમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય 2 આરોપીઓ પણ સામેલ હતા. જે ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુન્તલા વસાવાની તેમના ઘરેથી ધરપકડ કરી હતીજ્યારે ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા.

ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દિધી હતી અને બાદમાં હાઇકોર્ટે પણ આગોતરા જામીન ફગાવી દેતા ચૈતર વસાવાએ 40 દિવસ બાદ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા સામે આ કેસમાં નર્મદાના ડેડીયાપાડા પોલીસ મથકે IPCની વિવિધ કલમો સહિત આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

 બાદમાં આ કેસમાં તપાસ પૂર્ણ થતા અને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાતા ચૈતર વસાવાએ નર્મદાની ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી મુકી હતીજેને શરતી મંજૂરી આપવામાં આવી હતી. જોકેઆ શરતોમાં ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો હતો. તેમજ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતાત્યારે ટ્રાયલ કોર્ટની શરતોમાં મુક્તિ આપવા ચૈતર વસાવા ચૂંટણી પહેલા હાઈકોર્ટ પહોંચ્યા હતા. ચૈતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કેચૈતર વસાવા ભરૂચની બેઠક પરથી લોકસભાના ઉમેદવાર છે. ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું રાજકીય કારકિર્દી બરબાદ થઈ શકે તેમ છે.

વર્તમાન કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. નર્મદાની કોર્ટમાં પણ આ શરતોને દૂર કરવા અરજી કરાય હતી. જોકેતે અરજી નકારી દેવામાં આવી હતી. અરજદાર ચૂંટાયેલા ધારાસભ્ય છેતેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી તેમની વિધાનસભાને પણ નુકશાન જઈ રહ્યું છે. જો આ શરતો દૂર નહીં કરાય તો તેઓને ચૂંટણીમાં ન્યાય મળી શકશે નહીં. આથી હાઇકોર્ટે તા. 12 જૂન 2024 સુધી નીચલી કોર્ટની શરતો ઉપર સ્ટે આપ્યો હતોજેની સામે સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી.

જોકેસુપ્રીમે તે અરજી ફગાવી દીધી હતીત્યારે હવે હાઇકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી છે. કારણ કેમત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકશાન જાય છે. જેથી ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાહત સાથે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

#ચૈતર વસાવા કેસ #MLA ચૈતર વસાવા #ચૈતર વસાવા
Latest Stories
Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ...

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.