દાહોદ : ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી વન વિભાગના અધિકારીનો આપઘાત

દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા સરકારી અધિકારીએ અગમ્ય કારણોસર ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

New Update

દાહોદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા સરકારી અધિકારીએ અગમ્ય કારણોસર ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારદાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં નાયબ વન સંરક્ષકે પોતાના ઘરના બેડરૂમમાં ખાનગી રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ જિલ્લામાં વર્ષ 2017માં ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) અધિકારી તરીકે પ્રમોશન મેળવીને RFOમાંથી DCF તરીકે દાહોદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે આર.એમ.પરમાર ફરજ બજાવતા હતા.

નાયબ વન સંરક્ષક રમેશ પરમાર સ્વભાવે શાંત સ્વભાવના અધિકારી હતા. ગઈકાલે તેઓ પોતાની ફરજ દરમિયાન ખજુરિયા ગામે વિઝિટ કરવા માટે ગયા હતાજ્યાંથી તેઓ મોડી રાત્રે ભોજન કરીને જ ઘરે આવ્યા હતા. જોકેઆજે વહેલી સવારે અચાનક તેમના બેડરૂમમાંથી રિવોલ્વરના ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો બેડરૂમ તરફ દોડી ગયા હતાઅને બેડરૂમમાં જઈને જોતા રમેશ પરમારને માથાના ભાગે ગોળી વાગેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જેના પગલે પરિવારજનો ગભરાઈ ગયા હતાઅને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ દાહોદ એ’ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories