Connect Gujarat
ગુજરાત

સરહદ ડેરી દ્વારા દૂધના ભાવમાં ઐતિહાસિક વધારો કરાતા પશુપાલકોને થશે મોટો ફાયદો

X

પશુપાલકોને માસિક રૂપિયા 1.25 કરોડ વધારે મળશે. નવા ભાવો આગામી 1 ઓક્ટોબરથી લાગુ પડશે.જેથી પશુપાલકો માં આનંદની લહેર પ્રસરી છે

શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા 14મી વાર્ષિક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યકર્મ પ્રસંગે પશુપાલકોને ભેટ આપવામાં આવી છે જે પેટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 15 રૂપિયાનો વધારો કરી અને 815 રૂપિયા પ્રતિ કિલો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી પ્રતિ લી. ભેંસના દૂધના કામ ચલાઉ ભાવમાં પ્રતિ લી. 3 રૂ. જેવો વધારો થશે જેથી પ્રતિ લી. ૫૭.૦૫ રૂપિયા જેટલા ઊચા ભાવ મળતા થશે. જ્યારે ગાયના દૂધના ભાવ પણ ૪૦.૫૦ મળતા થશે જેના કારણે ડેરી તરફથી વાર્ષિક 15 કરોડનું વધુ ચૂકવણું પશુપાલકોને મળતું થશે. તેવું વલમજી હુંબલએ એક યાદીમાં જણાવ્યુ હતું.

આ બાબતે સરહદ ડેરીના ચેરમેનશ્રી અને અમૂલ GCMMF ના વાઇસ ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે સરહદ ડેરી દ્વારા દૂધના ભાવોમાં ઘટાડો નહીં પરંતુ વધારો કરી અને પશુપાલકોને ભેટ આપવામાં આવી છે. સરહદ ડેરી દ્વારા હમેશા પશુપાલકોના હિતને ધ્યાને લઈ અને નિર્ણય કરવામાં આવેલ છે આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી ૧ તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવેલ છે.

તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા ઉચ્ચ ગુણવતાયુક્ત સરહદ દાણ નિયમિત પશુઓને ખવડાવું જોઈએ અને બહારના ખોળ ભુસા થી દૂર રહી અને પશુઓના આરોગ્ય બાબતે સજાગ રહેવું જોઈએ.

Next Story