Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા હરીપર પાસે સર્જાયો અકસ્માત, ચાર લોકોના મોત

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા હરીપર પાસે સર્જાયો અકસ્માત, ચાર લોકોના મોત
X

વહેલી સવારે જ જીવલેણ અકસ્માતના દુઃખદ સમાચાર ધ્રાંગધ્રાથી મળ્યા છે. ધ્રાંગધ્રાથી અમદાવાદ તરફ જતા હાઈવે પર કાર પલટી જતા ચાર લોકોના મોત થયા છે.. લગ્નના કાર્યક્રમમાંથી પરત ફરતી આ કારમાં દલવાડી સમાજના લોકો સવાર હતા. જેમના મૃત્યુ થયા છે તે પૈકીના બે મહિલા અને બે પુરુષો છે. અકસ્માતના સમાચાર મળતા જ ધ્રાંગધ્રા પોલીસ અને સ્થાનિક પ્રશાસન દુર્ઘટના સ્થળે પહોંચ્યું હતું. જો કે દુર્ભાગ્યવશ ચાર લોકોને બચાવી શકાયા નથી.

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા હરીપર પાસે અમદાવાદ કચ્છ હાઇવે ઉપર મોડી રાતે અકસ્માતની આ ઘટના બની હતી. ઇકો કાર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં 4 લોકો ના ઘટના સ્થળ પર મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ નો આબાદ બચાવ થયો હતો.

મૃતકોના નામ

• યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ

• ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ

• રાધાબેન નીલકંઠ ભાઇ જાદવ

• ધનેશભાઈ બાબુભાઈ ચાવડા

Next Story