ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે પલ્સ પોલીયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

રાજ્યમાં આજથી પલ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી આ અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો

New Update

રાજ્યમાં આજથી પલ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી આ અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેઓએ કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપા પીવડાવ્યા હતા.આ અભિયાનમાં ૧.૩૪ લાખ આરોગ્ય કર્મીઓ ૩૩,૫૦૦ બુથ દ્વારા પલ્સ પોલિયો અભિયાનમાં જોડાયા હતા અને રાજ્યના શૂન્ય થી ૫ વર્ષના ૮૩.૭૨ લાખ ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.તારીખ 24 અને 25મી જૂનના રોજ આરોગ્યકર્મીઓ ઘરે ઘરે ફરીને બાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવશે.
Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.