ગીરસોમનાથ વેરાવળના યુવકોને ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ભારે પડ્યા

ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશેલા ત્રણ યુવકોને સિંહ દર્શનનો ઇરાદો ભારે પડ્યો હતો વન વિભાગે ત્રણેય ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

author-image
By Connect Gujarat
New Update
ગેરકાયદેસર સિંહ દર્શન

વેરાવળ નજીકના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશેલા ત્રણ યુવકોને સિંહ દર્શનનો ઇરાદો ભારે પડ્યો હતો વન વિભાગે ત્રણેય ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર વેરાવળ નજીકના પંડવા મંડોર વિડી વિસ્તાર કે જે પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે. 

આ જંગલ વિસ્તારમાં તારીખ 21ની રાત્રિના અમુક ઈસમો ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશ કર્યા હતા અને જેની જાણ પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગના સ્ટાફને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં વન વિભાગની ટીમને જોઈ ત્રણે ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા

.વન વિભાગ દ્વારા ઘટના સ્થળેથી આ યુવકોની ત્રણ બાઈક કબજે લેવામાં આવી હતી અને બાદમાં સિંહ દર્શનના ઇરાદે જંગલમાં ગેરકાયદેસર પ્રવેશેલા આ ત્રણેય ઈસમો વેરાવળ વન વિભાગ સમક્ષ હાજર થતા ત્રણેય વેરાવળના બહાર કોટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ કાકાસીયા અબદુલાહ અંજુમ ઉં.વ 21, કાપડિયા અંબાર સોયબ ઉં.વ 17, અને પંજા અબ્દુલ્લા આરીફ ઉં.વ 17 હોવાનું સામે આવ્યું હતું.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.