ગીરસોમનાથ વેરાવળના યુવકોને ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ભારે પડ્યા

ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશેલા ત્રણ યુવકોને સિંહ દર્શનનો ઇરાદો ભારે પડ્યો હતો વન વિભાગે ત્રણેય ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

author-image
By Connect Gujarat
New Update
ગેરકાયદેસર સિંહ દર્શન

વેરાવળ નજીકના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશેલા ત્રણ યુવકોને સિંહ દર્શનનો ઇરાદો ભારે પડ્યો હતો વન વિભાગે ત્રણેય ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર વેરાવળ નજીકના પંડવા મંડોર વિડી વિસ્તાર કે જે પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે. 

આ જંગલ વિસ્તારમાં તારીખ 21ની રાત્રિના અમુક ઈસમો ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશ કર્યા હતા અને જેની જાણ પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગના સ્ટાફને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં વન વિભાગની ટીમને જોઈ ત્રણે ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા

.વન વિભાગ દ્વારા ઘટના સ્થળેથી આ યુવકોની ત્રણ બાઈક કબજે લેવામાં આવી હતી અને બાદમાં સિંહ દર્શનના ઇરાદે જંગલમાં ગેરકાયદેસર પ્રવેશેલા આ ત્રણેય ઈસમો વેરાવળ વન વિભાગ સમક્ષ હાજર થતા ત્રણેય વેરાવળના બહાર કોટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ કાકાસીયા અબદુલાહ અંજુમ ઉં.વ 21, કાપડિયા અંબાર સોયબ ઉં.વ 17, અને પંજા અબ્દુલ્લા આરીફ ઉં.વ 17 હોવાનું સામે આવ્યું હતું.

Read the Next Article

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, સુરેન્દ્રનગર,પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ કર્યું જાહેર

ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

New Update
મધ્યમ વરસાદ

ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

હવામાન વિભાગે સુરેન્દ્રનગર, પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, સાબરકાંઠા, અરવલ્લી, અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને માલપુર અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં રાત્રી દરમિયાન 6 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઝમઝમ, આઝાદ ચોક, આઈજી પાર્ક અને અતાનગર જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશોની ઘરવખરી પલળી ગઈ હતી. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવામાં સમય લાગી રહ્યો છે.

અમદાવાદમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એસ.જી. હાઈવેના સર્વિસ રોડ અને ઝાયડ્સથી થલતેજ તરફ જવાનો રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 30 મિનિટથી વધુ સમયથી વરસાદનો વિરામ હોવા છતાં પાણી ઓસર્યા નથી, જે અમદાવાદ મનપા અને નેશનલ ઓથોરિટીની પ્રિ-મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. સીઝનનો કુલ 21 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હાલ પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. અનેક વાહનોમાં પાણી ઘૂસી જતાં બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.