Connect Gujarat
ગુજરાત

ભાવનગર:રામ જન્મભૂમિ અયોધ્યા મહોત્સવમાં આઇટી કંપનીનો મહત્વપૂર્ણ ફાળો,જુઓ શું આપ્યું યોગદાન

ઓઆરજી કંપની દ્વારા ક્યુઆર કોડની મદદથી દરેક લોકોની તમામ માહિતી સાથે ૨૪ કલાક ઓનલાઇન ટેલિકોલર સુવિધાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે

X

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે કામની તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ યોજાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૦૦૮ કુંડીય હવનનું આયોજન કરાયું છે. આ હવન દરમિયાન ભાગ લેનાર તમામ લોકોની દરેક સુવિધા માટે ઓનલાઇન સોફ્ટવેર મારફતે ભાવનગરથી યાત્રાધામ ઓઆરજી કંપની દ્વારા ક્યુઆર કોડની મદદથી દરેક લોકોની તમામ માહિતી સાથે ૨૪ કલાક ઓનલાઇન ટેલિકોલર સુવિધાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. અને આ આઇટી કંપની દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર નિ:શુલ્કપણે આ સેવાકીય કાર્ય રામ જન્મભૂમિ ખાતે પૂરી પાડવામાં આવશે. જે ભાવનગર માટે ખૂબ જ મહત્વપૂર્ણઅને ગૌરવની વાત કહી શકાય.

Next Story