ખજૂરભાઈ સાત જન્મના બંધનમાં બંધાયા: નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે કર્યા લગ્ન
ખજૂરભાઈ તરીકે જાણીતા એવા લોકપ્રિય નીતિન જાનીએ પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે ગઈકાલે લગ્ન કર્યાં
BY Connect Gujarat Desk9 Dec 2023 1:07 PM GMT
X
Connect Gujarat Desk9 Dec 2023 1:07 PM GMT
ગુજરાતમાં ખજૂરભાઈ તરીકે જાણીતા એવા લોકપ્રિય નીતિન જાનીએ પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે ગઈકાલે લગ્ન કર્યાં છે. ડિસેમ્બર 2022માં ખજૂરભાઈએ મીનાક્ષી સાથે સગાઈ કરી હતી જેના ફોટોઝ તેમણે ઈંસ્ટાગ્રામ પર શેર કર્યાં હતાં. હવે તેમણે લગ્નના ફોટોઝ-વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. સાવરકુંડલામાં કપલે સાદગીભેર અને રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યાં. ફેન્સને લગ્નની ખબર મળતાની સાથે જ લોકોએ તેમને શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું છે.
Next Story