Connect Gujarat
ગુજરાત

કોકિલાબેન-અનિલ અંબાણી સાળંગપુર ધામમાં, પૂજા કરીને ધજા ચઢાવી, કોઠારી સ્વામીએ મૂર્તિ આપી

કોકિલાબેન-અનિલ અંબાણી સાળંગપુર ધામમાં, પૂજા કરીને ધજા ચઢાવી, કોઠારી સ્વામીએ મૂર્તિ આપી
X

બોટાદના સાળગપુર કષ્ટભંજન મંદિરે હનુમાન દાદાના દરબારમાં અંબાણી પરિવારે દર્શન કર્યા. કોકિલાબેને અંબાણી તેમજ અનિલ અંબાણીએ પરિવાર સાથે દર્શન કર્યા હતા.અંબાણી પરિવાર દ્વારા પૂજા કરીને ધજા ચડાવાઇ. મંદિરના કોઠારી સ્વામી અને સંતોએ અનિલ અંબાણીને દાદાની મૂર્તીની ભેટ આપવામાં આવી હતી.સાંળગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન કરીને અંબાણી પરિવારે ધન્યતા અનુભવી હતી. અનિલ અંબાણીએ સહ પરિવાર સાથે દાદાના દર્શન કર્યા હતા. તો મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાણી પરિવારને આવકારવામાં આવ્યા હતા. કોકિલાબેને અંબાણી પણ મંદિર પરિસરમાં બેસી હનુમાન દાદાના પૂજા અર્ચના કરી હતી

Next Story