કચ્છ : માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે ભુજમાં યોજાયો સેવા કેમ્પ, હજારો પદયાત્રીઓએ લીધો લાભ...

કેમ્પમાં આવનાર ભક્તોને ચા-નાસ્તો, બપોરે ભોજનમાં દાળ-ભાત, શાક રોટલી, પૂરી, જ્યારે બપોર બાદ ફ્રૂટ ડિશનું વિતરણ તેમજ રાત્રે ભોજનની પણ પદયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી

New Update
કચ્છ : માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે ભુજમાં યોજાયો સેવા કેમ્પ, હજારો પદયાત્રીઓએ લીધો લાભ...

માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે યોજાયો સેવા કેમ્પ

ભક્તોને ચા-નાસ્તો, ભોજન અને રહેવાની અપાય સુવિધા

પદયાત્રીઓને અગવડ ન પડે તે માટે ધ્યાન કેન્દ્રિત કરાયું

જય મહાશક્તિ દેશદેવી આશાપુરા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત 24માં વર્ષે કચ્છ જિલ્લાના ભુજના આરટીઓ રિલોકેશન વસાહતના ગ્રાઉન્ડમાં સભા મંડપ સાથે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 10થી 14 ઓક્ટોબર દરમિયાન ચાલેલા સેવા કેમ્પમાં લાખો પદયાત્રીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આવનાર ભક્તોને ચા-નાસ્તો, બપોરે ભોજનમાં દાળ-ભાત, શાક રોટલી, પૂરી, જ્યારે બપોર બાદ ફ્રૂટ ડિશનું વિતરણ તેમજ રાત્રે ભોજનની પણ પદયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સેવા કેમ્પમાં મેડિકલની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેમાં એક્યુપ્રેશરની સેવા આપવામાં આવતી હતી. આ ઉપરાંત વિશાળ મંડપમાં પદયાત્રીઓને આરામ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી॰ જેમાં ગરમીમાં રાહત મેળવવા કુલરની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સૌથી વધુ કાર્યકરોએ કેમ્પમાં સેવામાં જોડાયા હતા. આ કેમ્પની ખાસિયતતા મુજબ પદયાત્રીઓને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

તો બીજી તરફ, સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લોકોને સતત અપીલ કરવામાં આવતી હતી. નગરપાલિકા અને ભારતીય સૈન્ય દ્વારા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સેવાકાર્યમાં કનેક્ટ ગુજરાત ન્યૂઝના યોગેશ પારિક સહિતના આગેવાનો અને કેમ્પના કાર્યકરોને સહયોગ સાંપડ્યો હતો.