નર્મદા : SOU ખાતે દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા

New Update
નર્મદા : SOU ખાતે દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

એકતાનગર ટેન્ટ સિટી ખાતે રાષ્ટ્રીય પરિષદનું આયોજન

Advertisment

દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ

દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌપ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટ સીટી ખાતે યોજાય હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે કેન્દ્રીય રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગસિંહ ઠાકુર, કેન્દ્રીય રમત-ગમત રાજ્યમંત્રી નિશિથ પ્રમાણિક તેમજ ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ભારતની ખેલ-કુદ ઇકો સિસ્ટમને વધુ સંગીન બનાવી ખેલ-કુદ વિશ્વના નકશે દેશને વઘુ ઉંચુ સ્થાન અંકિત કરાવવામાં આ રાષ્ટ્રીય પરિષદમાં થયેલું વિચાર-મંથન અને નિષ્કર્ષ અતિ મહત્વપુર્ણ બનશે. દેશમાં રમત-ગમત અને ફિટનેશ પ્રત્યેની એક નવી જ લહેર ઉભી થઇ છે. ખેલાડીઓને અદ્યતન તાલીમથી સજ્જ થઇ વિશ્વ કક્ષાની રમતોમાં ઉજ્જવળ દેખાવ માટેની તકો પ્રાપ્ત થઇ છે.

Advertisment
Read the Next Article

“ઓપરેશન અખરોટ” : બાળકની શ્વાસનળીમાં ફસાયેલ અખરોટના ટુકડાને વલસાડના તબીબોએ સફળતાપૂર્વક બહાર કાઢ્યો...

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છે, ત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
62

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છેત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારબીલીમોરાના રહેવાસી પરિવારમાં 4 વર્ષીય બાળક અખરોટ ખાતો હતો.

આ દરમ્યાન રમતા રમતા બાળકની શ્વાસનળીમાં અખરોટનો ટુકડો ફસાઈ ગયો હતો. જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતાં પરિવાર હેબતાઈ ગયો હતો.

જોકેબાળકને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ ખાતે ખસેડવામાં આવ્યો હતોજ્યાં ડો. મિતેષ મોદી દ્વારા તાત્કાલિક બાળકનું દૂરબીનની મદદથી ઓપરેશન કરવામાં આવ્યો હતો.

ડો. મિતેષ મોદી સહિતના સ્ટાફે બાળકની શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક અખરોટનો ટુકડો કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઆ ઓપરેશન દરમ્યાન બાળકના શરીર પર કોઈપણ કટ કેકાપ મુકવામાં આવ્યો ન હતો.

તો બીજી તરફસફળતાપૂર્વક પાર પડાયેલા ઓપરેશન બાદ બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment
Latest Stories