Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : આધ્યાત્મિક ગુરુ રવિશંકર મહારાજે કર્યા પાવાગઢ મહાકાળી માઁના દર્શન

આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર મહારાજ અચાનક પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને પહોંચ્યા

પંચમહાલ : આધ્યાત્મિક ગુરુ રવિશંકર મહારાજે કર્યા પાવાગઢ મહાકાળી માઁના દર્શન
X

આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર મહારાજ અચાનક પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને પહોંચ્યાહતા.જે સાંજે સવા પાંચ કલાકે તેઓ પાવાગઢ મંદિરમાં પ્રવેશ્યા હતા. ભક્તોએ ઢોલ નગરા સાથે તેઓનું સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રોપ-વેમાં પાવાગઢ મંદિરે પહોંચ્યા હતા આર્ટ ઓફ લિવિંગ આશ્રમ વાસદ પધારેલા અંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર મહારાજ વાસદથી પાવાગઢ પધાર્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હેલિકોપ્ટર મારફતે તેઓ સાંજે પાવાગઢ તળેટીના સેવક ફાર્મ ખાતેના હેલિપેડ ઉતર્યા હતા, માલવાહક રોપ-વેમાં પાવાગઢ મંદિર ઉપર પહોંચ્યા હતા.

જ્યાં ભક્તોની ભારે ભીડ એકત્ર થઈ જતા પોલીસ દ્વારા કોર્ડન કરી મંદિરના ગર્ભગૃહ સુધી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સામૈયું લઈ આવેલા કેટલાક નજીકના સાધકો સાથે બેસી માતાજીની પૂજા કરી હતી.જેમાં મોટી સંખ્યામાં સાધકો તેઓને જોવા ઉમટ્યા હતા.

Next Story