રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘશિક્ષા વર્ગ અન્વયે વાંકીયા ખાતે પથ-સંચલન યોજાયું.

New Update
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘશિક્ષા વર્ગ અન્વયે વાંકીયા ખાતે પથ-સંચલન યોજાયું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપનાકાળથી પરંપરા અનુસાર દર વર્ષે ઉનાળાના વેકેશનમાં નિત્ય શાખામા આવતા અને નવા જોડાયેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે 20 દિવસના સંઘ શિક્ષા વર્ગનું આયોજન દેશ ભરમાં કરે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી એમ.બી.હાઇસ્કુલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સંઘના સ્વયંસેવકો માટે સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો છે.

આ સંઘ શિક્ષા વર્ગ ને અનુલક્ષી ને તારીખ 22-5-2023 ના રોજ સંઘ શિક્ષા વર્ગના સ્થાન થી શરૂ કરી ને, વાંકીયા ગામ ના વિવિધ વિસ્તારો માંથી પથ-સંચલન પસાર થયું હતું. વાંકીયા ગ્રામજનો દ્વારા પથ-સંચલન સાથે ભગવા ધ્વજનું અનેક સ્થાનો પર સ્વાગત થયું હતું. આ વર્ગના વર્ગાધીકારિ તરિકે ડો. કુમન ખુંટ, વર્ગ કાર્યવાહ તરીકે દેવેન્દ્રભાઇ ઉપરાંત સમગ્ર વર્ગની વ્યવસ્થા નિકુંજ ખાંટ સંભાળી રહ્યા છે. પ્રાંત પ્રચારક મહેશ જીવાણી યોગ્ય પ્રશિક્ષણ માટે સાથે રહી સતત માર્ગદર્શન કરી રહ્યા છે. 20 દિવસના અંતે તા. 27 મેના રોજ સાંજે 6.00 વાગ્યે સમારોહ કાર્યક્રમ અને પ્રાપ્ત શારીરિક-બૌદ્ધિક દિક્ષાના પ્રાત્યક્ષિક સાથે આ વર્ગનું સમાપન કરવામાં આવશે.