રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સિંગાપોર બિઝનેસ ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત...

New Update
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સિંગાપોર બિઝનેસ ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સિંગાપોરની મુલાકાતે

Advertisment

સિંગાપોર બિઝનેસ ફેડરેશનના પ્રતિનિધિ સાથે બેઠક યોજી

ઓક્ટો-2023માં સિંગાપોરમાં યોજાયેલ રોડ-શો સંદર્ભે ચર્ચા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિંગાપોર બિઝનેસ ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમ્યાન ઓક્ટોબર 2023માં સિંગાપોર ખાતે યોજાયેલ રોડ-શો દરમિયાન સિંગાપોર બિઝનેસ ફેડરેશન દ્વારા વ્યક્ત કરવામાં આવેલ ઉત્સાહજનક પ્રતિભાવના સંદર્ભમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉત્સાહજનક પ્રતિભાવના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સભ્યોને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું.

Advertisment
Read the Next Article

જુનાગઢ : ઓઝત નદી કાંઠે બિસ્માર પાળાનું સમારકામ શરૂ, ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય તેવી ખેડૂતોની માંગ...

જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

New Update
  • દર વર્ષે ભારે વરસાદને લઈ ઓઝત નદી વહે છે બે કાંઠે

  • પાણી વહેતા પાળા તૂટવાની ઘટનાથી સર્જાતો જળબંબાકાર

  • સિંચાઈ વિભાગ દ્વારા ચાલતું બિસ્માર પાળાનું સમારકામ

  • પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ

  • ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી ખેડૂતોની માંગ

Advertisment

જુનાગઢના ઘેડ પંથકમાં દર વર્ષે ભારે વરસાદને લઈને ઓઝત નદી 2 કાંઠે વહેતા પાળા તૂટવાની ઘટનાથી જળબંબાકાર સર્જાય છે. જોકેહાલ સિંચાઈ વિભાગ દ્વારા બિસ્માર પાળાનું સમારકામ ચાલી રહ્યું છેત્યારે આ પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષે 1 કરોડથી વધુ ખર્ચે પથ્થરના બ્લોક (ગેબિયન) સાથે સ્ટેપવાળો પાળો બનાવવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કેઅનુભવી ખેડૂતોના કહેવા છતાં આ પાળો અન્ય પાળાની સરખામણીએ 1 મીટર જેટલો નીચો બનાવવામાં આવ્યો હતો. જેને લઈ ચોમાસાની શરૂઆતના પ્રથમ પુરના કારણે નદીનું પાણી પાળાને ઓળંગતા પાળાની પાછળના ભાગની માટીનું ધોવાણ થતાં તૂટી પડ્યો હતો. આ સાથે જ મોટા પ્રમાણમાં ખેતીની જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતોને ફરી નુકશાન થવા પામ્યું હતું.

જોકેહવે ચાલું વર્ષે ચોમાસું નજીક આવી રહ્યું છેત્યારે પાળાનું પુનઃ સમારકામ કરવામાં આવતાં પુરના લેવલની સ્થિતિનો અનુભવ ધરાવતાં ખેડૂતોએ અગાઉ આપેલી સલાહ મુજબ પાળો વધુ 1 મીટર ઉંચો કરવા રજૂઆત કરાતાં કામગીરી ખોરંભે પડી હતીત્યારે ફરીથી આ પાળો તૂટે નહીં તેવી ખેડૂતોની ટેકનિકલી સલાહ ગળે ઉત્તરતાં સિંચાઈ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરે ખેડૂતોની વાત ગ્રાહ્ય રાખી હતીઅને પાળાને એક મીટર ઊંચો બનવવા નિર્ણય લીધો હતો. તો બીજી તરફખેડૂતોએ ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી માંગ કરી છે.

 

Advertisment