સુરેન્દ્રનગર: જન્માષ્ટમીના પર્વ પર યોજાશે મેળો,તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાય

ગુજરાત | Featured | સમાચાર, આગામી શ્રાવણ માસમાં સૌરાષ્ટના વિવિધ જીલ્લામાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ

New Update
શ્રાવણ માસનો થવા જઈ રહ્યો છે પ્રારંભ
સુરેન્દ્રનગરમાં લોકમેળો યોજાશે
સાતમ આઠમ નોમના દિવસે મેળાનું આયોજન
મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટશે
તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાય
સુરેન્દ્રનગરનામાં શ્રાવણ માસની સાતમ આઠમ અને નોમના દિવસે યોજનાર ચાર દિવસીય મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે
આગામી શ્રાવણ માસમાં સૌરાષ્ટના વિવિધ જીલ્લામાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સુરેન્દ્રનગર તેમજ ધ્રાંગધ્રામાં નગર પાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ પર લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની મુલાકાતે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે  આગામી દિવસોમાં  શ્રાવણ માસમાં સાતમ આઠમ  નોમ દસમ ના રોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે અને આ મેળામાં ખાસ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા તેમજ સ્વચ્છતા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે.વર્ષોથી યોજાતા મેળાની અંદર લોકો મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે આવીને મેળાની મોજ માણે છે 
Latest Stories