રાજ્યમાં પોલીસ દળમાં બદલીઓનો દોર યથાવત, 127 PSIની બદલીઓના આદેશ
BY Connect Gujarat Desk29 May 2023 4:08 PM GMT
X
Connect Gujarat Desk29 May 2023 4:08 PM GMT
રાજ્ય પોલીસ દળમાં વધુ એક વખત બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં રાજ્ય પોલીસ આલમમાં સેવા બજાવતા બીન હથિયારી વધુ 127 પીએસઆઇની બદલીના ઉચ્ચકક્ષાએથી આદેશ છુટ્યા છે. ગૃહ વિભાગ દ્વારા તમામ પીએસઆઇને બદલીની જગ્યાએ તાત્કાલિકા હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.
Delete Edit
જામનગરના પીએસઆઇ એમ.પી.ચાવડા તથા દ્વારકાના રોશનબેન નૉઇડાની બદલી કરાઈ છે. જ્યારે રાજકોટના ભદ્રરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગરના કૃષ્ણસિંહ જાડેજા તથા બાર રોહન હમીરભાઈને જામનગરમાં ફરજ સોંપાઈ છે.
Next Story