શું ફ્રિજ વગર પણ કોથમીરને તાજી રાખી શકાય છે? હા, ફોલો કરી લો આ જરૂરી ટિપ્સ, કોથમીર રહેશે એકદમ તાજી....

New Update
શું ફ્રિજ વગર પણ કોથમીરને તાજી રાખી શકાય છે? હા, ફોલો કરી લો આ જરૂરી ટિપ્સ, કોથમીર રહેશે એકદમ તાજી....

ગરમીના વાતાવરણ માં કોથમીરથી લઈને લીલા શાકભાજી જલ્દીથી બગડી જતાં હોય છે. આ ગરમીમાં જો કોથમીર ને પ્રોપર રીતે સ્ટોર કરવામાં ના આવે તો તે બગડી જાય છે. બજારમાં કોથમીર મળે છે. કોથમીરનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. કોથમીરને સૂકવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ વાત કરવામાં આવે ગરમીમાં કોથમીર જલ્દીથી બગડી જતી હોય છે. તો આ કોથમીરને ફ્રેશ રાખવા માટે આજે અમે તમને ઘણી એવિ ટિપ્સ જણાવીશું કે જેનાથી કોથમીર એકદમ ફ્રેશ રહેશે અને ફ્રિજની પણ જરૂર નહિઁ પડે.

પાણીમાં કોથમીરની દંડીઓને રાખો

જયારે પણ તમે કોથમીરને બજારમાંથી લાવો ત્યારે સૌ પ્રથમ એક ગ્લાસ કે એક ડબ્બામાં પાણી ભરો. અને તેમાં કોથમીરની દાંડીઓ ડૂબાળો. આમ કરવાથી કોથમીર સુકાશે નહીં અને એકદમ ફ્રેશ રહેશે. આ પાણીનો ઉપયોગ તમે છોડમાં નાખવા માટે પણ કરી શકો છો. કોથમીરની દાંડીઓ ફ્રેશ હશે તો એ તાજી રહેશે. કોથમીરને બહારથી લાવીને પહેલા આ કામ કરો પછી જરૂર મુજબનું બીજું કામ કરો.

છાયડામાં રાખો

કોથમીરને હંમેશા છાયડામાં રાખો. છાયડામાં રાખીને ખુલ્લી હવામાં સુકવવાની આદત રાખો. તડકામાં કોથમીરને રાખવાથી તે જલ્દી બગડી જાય છે. કોથમીરને છાયડામાં રાખવાથી તે લોમબો સમય સુધી ફ્રેશ રહે છે. છાયડામાં રાખવામા આવેલ કોથમીરમાંથી તેના પોષક તત્વો નાશ પામતા નથી. આથી જ્યારે તમે તેને ખાવાના ઉપયોગમાં લો ત્યારે તેના પોષક તત્વો જળવાય રહે છે.

એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખો

તમે જ્યારે બજારમાંથી કોથમીર લાવો છો ત્યારે તેને એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખવામા આવે તો તે એકદમ ફ્રેશ રહે છે અને બગડતી પણ નથી. આ સિવાય તમે કોથમીરને ભીના ટીશ્યુ પેપરમાં પણ મૂકી શકો છો. આમ કરવાથી કોથમીર ફ્રેશ રહેશે.

બરફના પાણીથી ધોવાની આદત રાખો

ગરમીમાં કોથમીરને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તમે કોથમીરને બરફના ઠંડા પાણીથી ધોવાનો આગ્રહ રાખો. ઠંડા પાણીથી કોથમીરના પણ એકદમ લીલાછમ રહેશે. આમ કરવાથી કોથમીર લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

Read the Next Article

હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણી લો

હાથ અને પગમાં ઝણઝણાટ ક્યારેક હળવો અને ક્યારેક ખૂબ જ પરેશાન કરનારો હોઈ શકે છે. જો તે થોડા સમય માટે થાય છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે, તો તે સામાન્ય રીતે કોઈ દબાણ અથવા ખોટી મુદ્રાને કારણે થાય છે.

New Update
b12

હાથ-પગમાં ઝણઝણાટ ઘણીવાર સામાન્ય કારણોસર થાય છે, પણ વારંવાર થાય તો અનેક ગંભીર સમસ્યાઓનું કારણ હોય શકે છે.

હાથ અને પગમાં ઝણઝણાટ ક્યારેક હળવો અને ક્યારેક ખૂબ જ પરેશાન કરનારો હોઈ શકે છે. જો તે થોડા સમય માટે થાય છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે, તો તે સામાન્ય રીતે કોઈ દબાણ અથવા ખોટી મુદ્રાને કારણે થાય છે. પરંતુ જો તે વારંવાર અથવા સતત થઈ રહ્યું હોય, તો તે ઘણા રોગોનું લક્ષણ હોઈ શકે છે.

ડૉ. સુભાષ ગિરી સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ડાયાબિટીસ હોય છે, ત્યારે તેના હાથ અને પગની ચેતા ધીમે ધીમે પ્રભાવિત થવા લાગે છે. આવી સ્થિતિમાં, પગ અને હાથમાં ઝણઝણાટ, નિષ્ક્રિયતા અથવા બળતરા અનુભવી શકાય છે.

વિટામિન B12 શરીરની ચેતાને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપથી ન્યુરોલોજીકલ સમસ્યાઓ થાય છે. તેના લક્ષણોમાં હાથ અને પગ સુન્ન થઈ જાય, ઝણઝણાટ, થાક અને યાદશક્તિ ગુમાવવાનો સમાવેશ થાય છે.

આ એક ઓટોઇમ્યુન બીમારી છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતે જ ચેતા પર હુમલો કરે છે. આવી સ્થિતિમાં, હાથ અને પગમાં ઝણઝણાટ, સંતુલન જાળવવામાં મુશ્કેલી અને ઝાંખી દ્રષ્ટિની સમસ્યા થઈ શકે છે.

આ રોગમાં, કરોડરજ્જુની ડિસ્ક તેની જગ્યાએથી સરકી જાય છે અને ચેતા પર દબાણ લાવે છે. તેના લક્ષણોમાં કમરનો દુખાવો, એક પગ કે હાથમાં ઝણઝણાટ અને ચાલવામાં તકલીફનો સમાવેશ થાય છે.

શરીરમાં થાઇરોઇડ હોર્મોનની ઉણપને કારણે, હાથ અને પગની ચેતા પર દબાણ આવે છે. તેના લક્ષણોમાં થાક, વજનમાં વધારો, ઝણઝણાટ અને શુષ્ક ત્વચાનો સમાવેશ થાય છે.

જો હાથ અને પગમાં ઝણઝણાટ વારંવાર અથવા સતત ચાલુ રહે અને ચાલતી વખતે નબળાઇ, દુખાવો અથવા સંતુલન ગુમાવવા જેવી સમસ્યાઓ સાથે હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે તમારી તપાસ કરાવવી જોઈએ. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ ડૉક્ટરની સલાહ લઈને કરવો.)