વધુ 2 IAS અધિકારીઓની કરાઈ બદલી,પી.ડી. પલસાણા અને ડૉ. કુલદીપ આર્યની બદલી કરાઈ
BY Connect Gujarat Desk13 Feb 2024 5:06 PM GMT
X
Connect Gujarat Desk13 Feb 2024 5:06 PM GMT
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી કચેરીઓમાં બદલીની માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના વધુ બે આઈએએસ અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. જેમાં ડૉ. કુલદીપ આર્ય, અધિક ઉદ્યોગ કમિશનર, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને જેમને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે પી.ડી. પલસાણા, સરકારના સંયુક્ત સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને જેમને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્યની કચેરીમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, સામાન્ય વહીવટ વિભાગે બે આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે.
Next Story