Connect Gujarat
દેશ

વધુ 2 IAS અધિકારીઓની કરાઈ બદલી,પી.ડી. પલસાણા અને ડૉ. કુલદીપ આર્યની બદલી કરાઈ

વધુ 2 IAS અધિકારીઓની કરાઈ બદલી,પી.ડી. પલસાણા અને ડૉ. કુલદીપ આર્યની બદલી કરાઈ
X

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી કચેરીઓમાં બદલીની માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના વધુ બે આઈએએસ અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. જેમાં ડૉ. કુલદીપ આર્ય, અધિક ઉદ્યોગ કમિશનર, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને જેમને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જ્યારે પી.ડી. પલસાણા, સરકારના સંયુક્ત સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને જેમને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્યની કચેરીમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, સામાન્ય વહીવટ વિભાગે બે આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે.

Next Story