Connect Gujarat
દેશ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી, 11 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી, 11 લોકોએ જીવ ગુમાવ્યા
X

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 17 જૂન શનિવારની સાંજે એક મોટો જીવલેણ અકસ્માત થયો હતો. અહીં ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ. આ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

આ બસ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી. તે જ સમયે ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર કલ્લાર કહાર પાસે ચાલું બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. નેશનલ હાઈવે એન્ડ મોટરવે પોલીસ (NHMP) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે NHMPના કર્મચારીઓ અકસ્માત સ્થળ પર બચાવ કામગીરીમાં રોકાયેલા છે. એક અધિકારીએ જણાવ્યું કે મૃત્યુઆંક વધી શકે છે.

Next Story