ચાઇ કે બાદ હવે ‘ટિફિન પે ચર્ચા’ 2024 ને લઈને BJP નો પ્લાન, જે પી નડ્ડા કરાવશે શરૂઆત

New Update
ચાઇ કે બાદ હવે ‘ટિફિન પે ચર્ચા’ 2024 ને લઈને BJP નો પ્લાન, જે પી નડ્ડા કરાવશે શરૂઆત

ભારતીય જનતા પાર્ટીએ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજસ્થાનના અજમેરમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીની પ્રથમ વિશાળ જાહેર સભાથી શરૂ થયેલું આ અભિયાન આખા જૂના મહિના સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ભાજપ દેશભરમાં મોદી સરકારની 9 વર્ષની સિધ્ધીઓને લોકો સુધી પહોચાડવા માટે કામ કરશે. તેમજ આ અભિયાન દ્વારા એવા લોકોને પણ યોજનાઓ સાથે જોડવામાં આવશે જેઓ કોઈ કારણસર વંચિત રહી ગયા હોય.

આ સાથે આ અભિયાનમાં એવા કેટલાક અનોખા પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. જેથી નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓને મનાવીને ફરીથી સક્રિય કરી શકાય. આ નવતર અને અનોખા પ્રયોગને ‘ટિફિન પે ચર્ચા’ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 3જી જૂને આગ્રાથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા પ્રથમ ‘ટિફિન પે ચર્ચા’ નું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, તરુણ ચુગ અને વિનોદ તાવડેને આ અભિયાન ના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ બેઠકો વિધાનસભા ક્ક્ષો એ યોજાશે. આ મિટિંગની વિશેષતા એ હશે કે આ મિટિંગમાં હજાર લોકોએ પોતપોતાના ઘરેથી ટિફિન લાવવાનું રહેશે. અને દરેક વ્યક્તિ સાથે મળીને ભોજન કરશે અને ચર્ચા કરશે. આ દરમિયાન ફરિયાદો દૂર કરવામાં આવશે અને ધારાસભ્યો, સાંસદો તેમની સિધ્ધીઓ દરેકની સામે રજૂ કરશે.

Latest Stories
Read the Next Article

ઉત્તરાખંડમાં વરસાદ તબાહી મચાવી, બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, 3-4 દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે.

New Update
UTTRAKHAND LANDSLIDE

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે. ડાઇવિંગ કર્યા પછી પણ કાદવવાળા પાણીમાં કંઈ દેખાતું નથી. આવી સ્થિતિમાં, ગુમ થયેલા આઠ લોકો અને બસને શોધવાનું મુશ્કેલ છે. દરમિયાન, ચમોલી પોલીસે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની માહિતી આપી છે. નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાઇવે ખોલવાનું કામ ચાલી રહ્યું છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડિરેક્ટર, વિક્રમ સિંહે માહિતી આપી કે ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. નૈનિતાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂન, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂસ્ખલનનો પણ ભય છે. આવી સ્થિતિમાં, ચારધામ યાત્રાળુઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વખતે ચોમાસું સામાન્ય સમય કરતા 21 જૂને ઉત્તરાખંડ પહોંચ્યું હતું. કુમાઉ થઈને રાજ્યમાં પ્રવેશ કરનાર ચોમાસું હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયું છે. હરિદ્વારના કેટલાક વિસ્તારોને બાદ કરતાં, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે 10 થી 15 ટકા વધુ વરસાદ પડી શકે છે.

Latest Stories