ચેન્નઈ : મિચોંગ વાવાઝોડાએ મચાવી તબાહી, સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં ઘૂસ્યું પાણી, પરિવારે કરાયો અન્ય જગ્યાએ શિફટ...

રજનીકાંતના ઘરમાં પાણીનો જે વિડીયો છે તેને એક ફેને શુટ કર્યો છે. તેને જોઈને બધા લોકો દુખ વ્યકત કરી રહ્યા છે

New Update
ચેન્નઈ : મિચોંગ વાવાઝોડાએ મચાવી તબાહી, સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં ઘૂસ્યું પાણી, પરિવારે કરાયો અન્ય જગ્યાએ શિફટ...

ચક્રવાત મિચોંગે તામિલનાડુ, ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી દીધી છે. જનજીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે સુપરસ્ટાર રજનીકાંતનું ઘર પણ આ તબાહીમાં બાકી રહ્યું નથી. ચેન્નઈમાં પોષ વિસ્તારમાં આવેલા રજનીકાંતના ઘરમાં પાણી ભરાય ગયું હતું.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જો કે પાણી ભરાયા સમયે રજનીકાંત પોતાના ઘરે ના હતા અને હાલમાં તેમનો પરિવાર પણ હાલમાં અન્ય જગ્યાએ શિફટ થઈ ગયો છે. રજનીકાંતના ઘરમાં પાણીનો જે વિડીયો છે તેને એક ફેને શુટ કર્યો છે. તેને જોઈને બધા લોકો દુખ વ્યકત કરી રહ્યા છે. ફેન્સ પણ હેરાન છે કે થલાઈવા પણ પૂરની સ્થિતિમાં ફસાયા છે.

Read the Next Article

અમરનાથ યાત્રા શરૂ, બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા

ગુરુવારે સવારે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે. બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા.

New Update
ytra

ગુરુવારે સવારે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે.

બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા. યાત્રા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પવિત્ર અમરનાથ ગુફા તરફ જઈ રહેલા શ્રદ્ધાળુ મનીષા રામોલાએ કહ્યું, "હું ખૂબ જ ખુશ છું... વ્યવસ્થા ખરેખર સારી છે. યોગ્ય દસ્તાવેજો અને માન્ય ઓળખપત્ર વિના કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી. આ આપણી સલામતી માટે છે... કાશ્મીર આવવાનો અમારો હેતુ પ્રવાસ નથી પણ આ એક યાત્રા છે. અમારું ધ્યાન ફક્ત આ યાત્રા પર છે. હું મારા દેશ માટે પ્રાર્થના કરું છું કે દરેક સ્વસ્થ અને ખુશ રહે."

પહેલગામ બેઝ કેમ્પથી રવાના થનારા અમરનાથ યાત્રાળુઓના પહેલા બેચનો ભાગ રહેલા અન્ય એક યાત્રાળુએ કહ્યું, "અમે પહેલા બેચમાં (પહલગામથી) બાબા અમરનાથની યાત્રા પર છીએ. અમને આતંકવાદનો કોઈ ડર નથી અને અમે અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીશું. સુવિધાઓ ઉત્તમ છે. અમે અમરનાથ શ્રાઇન બોર્ડના આભારી છીએ."

અમરનાથ યાત્રા અંગે, કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમાર બિધુરીએ કહ્યું, "આ યાત્રા ફક્ત ધાર્મિક યાત્રા નથી. સુરક્ષા દળો, કુલીઓ, તંબુઓ, દરેક સેવા પ્રદાતા તેમાં સામેલ છે. યાત્રાળુઓમાં ઉત્સાહ અજોડ છે. હું પ્રાર્થના કરું છું કે દરેકની ઇચ્છાઓ પૂર્ણ થાય અને કાશ્મીર અને દેશના બાકીના ભાગમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી થાય."

પહેલગામ બેઝ કેમ્પથી રવાના થનારા અમરનાથ યાત્રાળુઓના પહેલા જૂથમાં સામેલ કવિતા સૈની નામની યાત્રાળુએ કહ્યું, "હું પહેલી વાર અમરનાથ યાત્રા પર આવી છું. અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમને અહીંથી મેડિકલ સર્ટિફિકેટ અને નોંધણી મળી. બધાએ અમને ખૂબ મદદ કરી. દિલ્હી પોલીસ અને કાશ્મીર પોલીસે અમને ખૂબ મદદ કરી... હું પ્રાર્થના કરીશ કે આપણા દેશમાં શાંતિ અને સમૃદ્ધિ રહે અને તાજેતરમાં જે બન્યું તે ફરી ન બને."