CM અરવિંદ કેજરીવાલ દ્વારા ઇડીના સમન્સને હાઇકોર્ટમાં પડકારાયો, આજે સુનાવણી હાથ ધરાશે

New Update
CM અરવિંદ કેજરીવાલ દ્વારા ઇડીના સમન્સને હાઇકોર્ટમાં પડકારાયો, આજે સુનાવણી હાથ ધરાશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જાહેર કરાયેલા સમન્સને હાઈકોર્ટમાં પડકાર્યો છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ જાહેર કર્યા છે. હાઈકોર્ટની સી ડિવિઝન બેંચ આજે કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.છેલ્લા 8 સમન્સ પર હાજર ન થયા બાદ કેજરીવાલે રાઉસ એવન્યુ કોર્ટમાં રાહતની માંગણી કરી હતી.

EDના 8 સમન્સ પર હાજર થવાના કેસમાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તરત જ EDએ 9મીએ સમન્સ જાહેર કરીને 21મી માર્ચે એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.EDએ સોમવારે કહ્યું કે કે કવિતા અને અન્ય કેટલાક લોકોએ અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત પાર્ટીના ટોચના નેતાઓ સાથે મળીને આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા ચૂકવીને એક્સાઇઝ પોલિસીમાં લાભ મેળવવા માટે કાવતરું ઘડ્યું હતું.