દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો, 335 નવા કેસ નોંધાયા, પાંચ લોકોના મોત

New Update
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો, 335 નવા કેસ નોંધાયા, પાંચ લોકોના મોત

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રવિવારે કોરોના સંક્રમણને કારણે પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 335 નવા કેસ નોંધાયા હતા. આનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રએ રાજ્યો માટે નિર્દેશ જાહેર કર્યા છે.

કર્ણાટકમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે. રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું છે કે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેરળ અને તમિલનાડુમાં જેએન-1 વેરિઅન્ટના બે કેસ મળી આવ્યા છે. આ માટે રાજ્યોએ લોકોને માસ્ક પહેરવાની અને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે અહીં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અધિકારીઓને આવા લક્ષણો અને શંકાસ્પદ કેસ ધરાવતા લોકોમાં ટેસ્ટિંગ વધારવા અને સરહદી જિલ્લાઓમાં દેખરેખ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને હાલના તબક્કે લોકોની અવરજવર અને એકઠા થવા પર કોઈ પ્રતિબંધની જરૂર નથી.