ભક્તોની આતુરતાનો અંત, કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યા

New Update
ભક્તોની આતુરતાનો અંત, કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યા

બાબા કેદારનાથ મહાદેવના દર્શનની આતુરતાનો આજે અંત આવ્યો છે. કારણે કે આજે ખુલી ગયા છે, બાબાના મંદિરના કપાટ. કેદારનાથ ધામના કપાટ આજે મંગળવારે સવારે 6.20 મિનિટે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા. કપાટોદ્ઘાટનના શુભ અવસર પર કેદારનાથ મંદિરને 35 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

લગભગ આઠ હજાર જેટલા ભક્તો કપાટોદ્ઘાટનના શુભ મુહૂર્તના સાક્ષી બન્યા. બાબા કેદારનાથના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતુંસવારે 5 વાગ્યાથી જ કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ પછી વહીવટી તંત્ર દ્વારા રાવલ અને શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પદાધિકારીઓની હાજરીમાં મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે 6.20 કલાકે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ભક્તો ઢોલ-નગારાંના તાલે ભગવાન શિવની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. 

Read the Next Article

હિમાચલમાં કુદરતનો પ્રકોપ યથાવત : કુલ્લુમાં વાદળ ફાટવાથી ફ્લેશ ફ્લડ

ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પહાડી રહ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.

New Update
himachal

ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પહાડી રહ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગત અઠવાડિયે વાદળ ફાટવાથી પાંચ લોકોના મોત થયા છે 100થી વધુ લાપતા છે, બચાવ કાર્ય હજુ ચાલી રહ્યું છે. એવામાં ગઈ કાલે શુક્રવારે સાંજે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટ્યું હતું, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે.

શુક્રવારે સાંજે લગભગ 5:35 વાગ્યે કુલ્લુ જિલાના જરી તાલુકાના શારોદ નાલામાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે બાજુમાં આવેલા વિસ્તાર બારોગી નાલામાં અચાનક પાણી ફરી વળ્યું હતું. ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ જણાવ્યું છે કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

કુલ્લુ સિવાય હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલ મુજબ રાજ્યમાં 357 રોડ્સ બ્લોક છે, 599 પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર બંધ છે અને 177 પાણી પુરવઠા સ્કિમને અસર પહોંચી છે.

આ વર્ષે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ચોમાસામાં 208 લોકોના મોત થઇ ચુક્યા છે, જેમાં 112 લોકોના મોત વરસાદને કારણે ભૂસ્ખલન, પૂર અને મકાન ધરાશાયી થવાને કારણે થયા છે. જ્યારે 90 થી વધુ લોકોના મોત માર્ગ અકસ્માતોને કારણે થયા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશમાં આગામી થોડા દિવસોમાં હજુ વરસાદની આગાહી કરી છે.

 Himachal | Kullu | flood | Heavyrain | Cloudburst 

Latest Stories