ખેડૂતો માટે ખુશખબર, PM કિસાનનો 16મો હપ્તો થયો જાહેર

New Update
ખેડૂતો માટે ખુશખબર, PM કિસાનનો 16મો હપ્તો થયો જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16 મો હપ્તો જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ બુધવારે મહારાષ્ટ્રના યવતમાલથી અંદાજે 9 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા જમાં કરવામાં આવે છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની પ્રશંસા કરી હતી.

અમિત શાહે કહ્યું હતું કે, આ યોજનાથી અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોને લાભ મળ્યો છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા ખેડૂતોને રકમ સીધી તેના ખાતામાં જમાં કરવામાં આવી છે. DBT દ્વારા ચૂકવણી કરવાની આ વિશ્વની સૌથી મોટી યોજના છે. તેમણે કહ્યું કે આ સ્કીમ ખેડૂતો અને ખેતીને પ્રોત્સાહન આપવામાં ઐતિહાસિક સાબિત થઈ છે.PM નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર 2023 પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15 મો હપ્તો જાહેર કર્યો હતો. તે સમયે 8 કરોડથી વધારે યોજનામાં જોડાયેલા ખેડૂતોના ખાતામાં 15 માં હપ્તાના કુલ 18,000 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી હતી.