ભારતને મોટી રાજદ્વારી જીત, કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને કર્યા મુક્ત

New Update
ભારતને મોટી રાજદ્વારી જીત, કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને કર્યા મુક્ત

ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને મુક્ત કર્યા છે. તે જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યા હતા. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ભારતની વિનંતી પર કતારે તેમની સજા પહેલાથી જ ઘટાડી દીધી હતી અને તેને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આમાંથી સાત ભૂતપૂર્વ નૌસૈનિકો પણ ભારત પરત ફર્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે "ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

Latest Stories