દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 747 નવા કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 747 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.69 ટકા છે.

New Update
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 272 નવા કેસ નોંધાયા, દર્દીઓની સંખ્યા ઘટીને 2,990 થઈ

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ગઈકાલ કરતાં આજે સામાન્ય ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 747 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.69 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 46 હજાર 848 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 53 હજાર 374 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 302 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 216 કરોડ 41 લાખ 70 હજાર 550 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 23 લાખ 92 હજાર 530 ડોઝ અપાયા હતા.