New Update
/connect-gujarat/media/post_banners/8d10842b6763463bce58fa59df6e94862a52bbb876d8a05300249e935e0002b1.webp)
ભારતની મહત્વકાંક્ષી અભિયાન ચંદ્રયાન 3ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ચંદ્રયાન-3ની પ્રક્ષેપણની તારીખ બદલીને 14 જુલાઈ કરી છે.
અગાઉ ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ 13 જુલાઈએ થવાનું હતું, પરંતુ હવે આ લૉન્ચ ડેટમાં ફેરફાર કરવામાં આવી છે, આને હવે બદલીને 14 જુલાઈ કરવામાં આવી છે, ઈસરોએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પર આની જાહેરાત કરી છે. ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2નું અનુગામી મિશન છે, આને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 14 જુલાઈના રોજ બપોરે 2:35 વાગે લૉન્ચ કરવામાં આવશે.
Latest Stories