Connect Gujarat
દેશ

J&K : પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર કર્યો હુમલો, ત્રણ જવાન શહીદ

J&K : પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર કર્યો હુમલો, ત્રણ જવાન શહીદ
X

આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આતંકીઓના આ ફાયરિંગમાં ત્રણ જવાન શહીદ થયા છે.

પીટીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓએ સેનાના જવાનોને લઈ જતા વાહનો પર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યાની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજૌરી-થાનામંડી-સુરનકોટ રોડ પર સવાણી વિસ્તારમાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, આ વાહન બુફલિયાઝના સૈનિકોને લઈ જઈ રહ્યું હતું. બુફલિયાઝમાં આતંકવાદીઓ વિરુદ્ધ કોર્ડન અને સર્ચ ઓપરેશન બુધવાર (20 ડિસેમ્બર)થી ચાલુ છે.

Next Story