Connect Gujarat
દેશ

નીતીશ કેબિનેટનું વિસ્તરણ, 21 મંત્રીઓએ શપથ લીધા:12 BJP, 9 JDUમાંથી; JDUથી રિપિટ

નીતીશ કેબિનેટનું વિસ્તરણ, 21 મંત્રીઓએ શપથ લીધા:12 BJP, 9 JDUમાંથી; JDUથી રિપિટ
X

બિહારમાં નીતિશ સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે 21 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. ભાજપમાંથી 12 અને જેડીયુ ક્વોટામાંથી 9 મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપે પોતાના ક્વોટામાંથી 6 નવા મંત્રી બનાવ્યા છે, જ્યારે જેડીયુના તમામ જૂના ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. સંજય ઝા (જે રાજ્યસભામાં ગયા)ના સ્થાને માત્ર મહેશ્વર હજારીને મંત્રી બનાવવામાં આવ્યા છે. સરકારમાં સીએમ સહિત કુલ 30 મંત્રીઓ છે. જેમાં ભાજપમાંથી 15, જેડીયુમાંથી 13, હેમ પાર્ટી અને સ્વતંત્ર ક્વોટામાંથી એક-એક મંત્રી બનાવવામાં આવ્યા છે. 2020માં જ્યારે એનડીએની સરકાર બની ત્યારે આ જ ફોર્મ્યુલા હતી.આ વખતે સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ કેબિનેટ વિસ્તરણમાં 14 ટકાથી વધુ સંખ્યા ધરાવતી યાદવ જાતિમાંથી એક પણ મંત્રી બનાવવામાં આવ્યો નથી. માત્ર એક મુસ્લિમને ત્યાં સ્થાન મળ્યું છે. સમગ્ર કેબિનેટ પર નજર કરીએ તો પ્રથમ વિસ્તરણમાં જેડીયુમાંથી માત્ર બિજેન્દ્ર યાદવ જ મંત્રી બન્યા હતા.

આ મંત્રીઓ ભાજપમાંથી મંત્રી બન્યા

રેણુ દેવી, મંગલ પાંડે, નીતિન નવીન, નીતિશ મિશ્રા, નીરજ બબલુ, સંતોષ સિંહ (એમએલસી), દિલીપ જયસ્વાલ, જનક રામ, કેદાર પ્રસાદ ગુપ્તા, કૃષ્ણનંદન પાસવાન, હરિ સાહની અને સુરેન્દ્ર મહેતાને મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ મંત્રીઓ જેડીયુમાંથી બન્યા

અશોક ચૌધરી, મહેશ્વર હજારી, લેસી સિંહ, જયંત રાજ, જામા ખાન, રત્નેશ સદા, સુનીલ કુમાર, મદન સાહની, શીલા મંડલને મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ પ્રથમ વખત મંત્રી બન્યા

સંતોષ સિંહ, દિલીપ જયસ્વાલ, હરિ સાહની, સુરેન્દ્ર મહેતા, કૃષ્ણનંદન પાસવાન, કેદાર પ્રસાદ ગુપ્તા પ્રથમ વખત મંત્રી બન્યા છે

Next Story