Connect Gujarat
દેશ

PM નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે, 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટનું કરશે લોકાર્પણ

PM નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે, 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટનું કરશે લોકાર્પણ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં લગભગ 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ જાહેરસભાને પણ સંબોધન કરશે. આ સિવાય તેઓ પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ બનેલા 5.5 લાખથી વધુ ઘરો માટે ગૃહ પ્રવેશ સમારોહમાં પણ હાજરી આપશે.આ પછી તેઓ આજે બપોરે જ અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે.

તવાંગમાં તેઓ 825 કરોડ રૂપિયામાં બનેલી સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ અરુણાચલના તવાંગને આસામના તેજપુર સાથે જોડશે. બપોરે 1.30 વાગ્યે, PM જોરહાટના હોલોંગા પાથરમાં પ્રખ્યાત અહોમ યોદ્ધા લાચિત બોરફૂકનની 84 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ માળખું 'સ્ટેચ્યુ ઓફ વેલોર' તરીકે ઓળખાશે.ખરેખરમાં પીએમ મોદી ઉત્તર-પૂર્વના 2 દિવસના પ્રવાસ પર છે. તેઓ શુક્રવારે સાંજે આસામની રાજધાની તેજપુર પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેણે કાઝીરંગામાં રોડ શો કર્યો. ત્યારપછી કાઝીરંગા નેશનલ પાર્કના ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું.

Next Story