ગરીબ-મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં વિનામુલ્યે મળે છે એડમિશન, જાણો શું છે સરકારની RTE યોજના...

New Update
ગરીબ-મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં વિનામુલ્યે મળે છે એડમિશન, જાણો શું છે સરકારની RTE યોજના...

આણંદની આનંદાલય શાળામાં પ્રવેશ મેળવવું કપરું

RTE અંતર્ગત શ્રેષ્ઠ ગણાતી શાળામાં મળ્યું એડમિશન

સારી સ્કુલમાં બાળકને ભણાવવાનું સપનું થયું સાકાર

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે, તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે. પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે સારી શાળામાં પ્રવેશ ન મળતા તે મુંઝવણ અનુભવતા હોય છે. આ મુંઝવણનો ઉપાય છે RTE. એટલે કે, રાઇટ ટુ એજ્યુકેશન. આણંદની આનંદાલય શાળામાં પ્રવેશ મેળવવાનું કામ કપરું છે, પણ માર્કંડ પારેખના દિકરા અમરિષ પારેખને RTEની મદદથી આણંદની આ ઉત્તમ શાળામાં પ્રવેશ મળ્યો.

માર્કંડ પારેખ RTE વિશે અજાણ હતા, પણ મામાના દિકરાએ માહિતી આપતા તેમણે ઓનલાઈન અરજી કરી, અને દિકરાને આણંદની શ્રેષ્ઠ ગણાતી શાળામાં એડમિશન મળ્યું. આમ, RTE ના કારણે "સૌને શિક્ષણની સમાન તક"નો વિચાર મૂર્તિમંત થઈ રહ્યો છે. માર્કંડ પારેખ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, અને મહિને અંદાજે રૂ. 10 હજારની આવક મેળવે છે, ત્યારે તેમને સ્વપ્નેય ન હોતું વિચાર્યું કે, તેમનું સંતાન આણંદની શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી શકશે. જેથી રાજયનું પ્રત્યેક બાળક ભણે, સારૂં શિક્ષણ મેળવે તેવી સરકારની નેમ છે, ત્યારે માર્કંડ પારેખને સરકારની આ યોજના વરદાનરૂપ લાગે છે.

Read the Next Article

Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ કરી રદ્દ

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ 21 જૂનથી 15 જૂલાઈ, 2025 વચ્ચે 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

New Update
air india1

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ 21 જૂનથી 15 જૂલાઈ, 2025 વચ્ચે 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

 આ ઉપરાંત 16 અન્ય રૂટ પર સેવાઓમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. 12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલું ફ્લાઇટ શિડ્યૂલને સ્થિર કરવા અને મુસાફરોને છેલ્લી ઘડીની અસુવિધાથી બચાવવા માટે છે. એરલાઇને એ પણ સ્પષ્ટ કર્યું કે આ એક કામચલાઉ નિર્ણય છે અને 15 જૂલાઈ સુધી અમલમાં રહેશે.

ત્રણ આંતરરાષ્ટ્રીય રૂટ જ્યાં ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે તેમાં દિલ્હી-નૈરોબી, અમૃતસર-લંડન (ગેટવિક) અને ગોવા (મોપા)-લંડન (ગેટવિક)નો સમાવેશ થાય છે. ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અન્ય 16 રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડવામાં આવી છે.

એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ નિર્ણય બે મુખ્ય કારણોસર લેવામાં આવ્યો છે. પ્રથમ બધી ફ્લાઇટ્સ પહેલાં સુરક્ષા ધોરણોની કડક તપાસ માટે સમય આપવો, અને બીજું મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટ્સનો સમયગાળો વધ્યો છે.