ગરીબ-મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં વિનામુલ્યે મળે છે એડમિશન, જાણો શું છે સરકારની RTE યોજના...

New Update
ગરીબ-મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં વિનામુલ્યે મળે છે એડમિશન, જાણો શું છે સરકારની RTE યોજના...

આણંદની આનંદાલય શાળામાં પ્રવેશ મેળવવું કપરું

RTE અંતર્ગત શ્રેષ્ઠ ગણાતી શાળામાં મળ્યું એડમિશન

સારી સ્કુલમાં બાળકને ભણાવવાનું સપનું થયું સાકાર

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે, તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે. પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે સારી શાળામાં પ્રવેશ ન મળતા તે મુંઝવણ અનુભવતા હોય છે. આ મુંઝવણનો ઉપાય છે RTE. એટલે કે, રાઇટ ટુ એજ્યુકેશન. આણંદની આનંદાલય શાળામાં પ્રવેશ મેળવવાનું કામ કપરું છે, પણ માર્કંડ પારેખના દિકરા અમરિષ પારેખને RTEની મદદથી આણંદની આ ઉત્તમ શાળામાં પ્રવેશ મળ્યો.

માર્કંડ પારેખ RTE વિશે અજાણ હતા, પણ મામાના દિકરાએ માહિતી આપતા તેમણે ઓનલાઈન અરજી કરી, અને દિકરાને આણંદની શ્રેષ્ઠ ગણાતી શાળામાં એડમિશન મળ્યું. આમ, RTE ના કારણે "સૌને શિક્ષણની સમાન તક"નો વિચાર મૂર્તિમંત થઈ રહ્યો છે. માર્કંડ પારેખ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, અને મહિને અંદાજે રૂ. 10 હજારની આવક મેળવે છે, ત્યારે તેમને સ્વપ્નેય ન હોતું વિચાર્યું કે, તેમનું સંતાન આણંદની શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી શકશે. જેથી રાજયનું પ્રત્યેક બાળક ભણે, સારૂં શિક્ષણ મેળવે તેવી સરકારની નેમ છે, ત્યારે માર્કંડ પારેખને સરકારની આ યોજના વરદાનરૂપ લાગે છે.

Read the Next Article

આંધ્રપ્રદેશ સરકારે રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી સેવા કરશે શરૂ

આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સરકારે 15 ઓગસ્ટ 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે

New Update
ઍન્ડ

આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સરકારે 15 ઓગસ્ટ 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

રામપ્રસાદ રેડ્ડીએ કહ્યું કે આ પહેલ એ મહિલાઓ પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક છે જેમણે આંધ્રપ્રદેશમાં અમારી મહાન જીતમાં અમને ટેકો આપ્યો. અમે આ યોજનાને રાજ્યભરની તમામ મહિલાઓ સુધી પહોંચાડવામાં ખુશ છીએ. અમારી સરકારની ફિલસૂફી સરળ છે. અમારી સફળતામાં યોગદાન આપનારાઓને પાછું આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

'સરકારી તિજોરી પર 3,500 કરોડ રૂપિયાનો બોજ પડશે'

પરિવહન મંત્રીએ કહ્યું કે, આ સેવા તમામ પલ્લે-વેલુગુ, લક્ઝરી અને અલ્ટ્રા-લક્ઝરી બસોમાં ઉપલબ્ધ હશે, જે રાજ્યભરમાં મહત્તમ કવરેજ ધરાવશે., સરકારના આ નિર્ણય અંગે, અધિકારીઓએ જણાવ્યું હતું કે મફત બસ યોજના સરકારી તિજોરી પર 3,500 કરોડ રૂપિયાનો બોજ પાડશે.                                                                                                                              

5 ઓગસ્ટથી શરૂ થનારી આ યોજના, મે 2024 ની ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટી સરકાર દ્વારા કરવામાં આવેલી ચૂંટણી સુપર સિક્સ ગેરંટીનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે તેલંગાણાની રેવંત રેડ્ડી યોજનાએ પણ આવી જ નીતિ લાગુ કરી છે.

Latest Stories