કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત કાશ્મીર જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 6400 કરોડ રૂ નું 52 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

New Update
કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત કાશ્મીર જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 6400 કરોડ રૂ નું  52 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુરુવારે યોજાનારી રેલી માટે આકાશથી લઈને જમીન સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. શ્રીનગર શહેરને ડ્રોન અને ક્વોડકોપ્ટરના ઓપરેશન માટે અસ્થાયી રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેલમ નદીમાં માર્કોસ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. રેલી સ્થળ બક્ષી સ્ટેડિયમ બહુસ્તરીય સુરક્ષા ઘેરા હેઠળ છે. પીએમ મોદી રેલી દરમિયાન 6400 કરોડ રૂપિયાની 52 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ તેઓ પ્રથમ વખત કાશ્મીર પહોંચી રહ્યા છે. બક્ષી સ્ટેડિયમને તિરંગા અને ભાજપના ઝંડાથી શણગારવામાં આવ્યું છે. શ્રીનગરના તમામ માર્ગો પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. રેલી દરમિયાન લોકોની અવરજવર રોકવા માટે ઘણી જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. દેખરેખ માટે ડ્રોન, ક્વોડકોપ્ટર, યુએવી, હેલિકોપ્ટર અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થળની આસપાસ બે કિલોમીટરની ત્રિજ્યામાં સુરક્ષા દળો દ્વારા પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે.

#India #Kashmir #Prime Minister Narendra Modi #development projects
Latest Stories
Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્...

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.