કર્ણાટકમાં આજે બપોરે સિદ્ધારમૈયા લેશે CM પદના શપથ

author-image
By Connect Gujarat
New Update
કર્ણાટકમાં આજે બપોરે સિદ્ધારમૈયા લેશે CM પદના શપથ

કર્ણાટકમાં ચૂંટાયેલી સરકાર શનિવારે શપથ લેવા જઈ રહી છે. કોંગ્રેસના સિદ્ધારમૈયા રાજ્યના 30મા મુખ્યપ્રધાન તરીકે તેમનો બીજો કાર્યકાળ શરૂ કરવાના છે. મહત્વનું છે કે, કર્ણાટકમાં 13 મેના રોજ પરિણામ આવતા કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી. બહુમતીનો આંકડો હાંસલ કર્યા પછી કોંગ્રેસે સીએમ પસંદ કરવા માટે લાંબું વિચારમંથન કર્યું હતું. જેમાં ખૂબ વિચાર કર્યા પછી, સિદ્ધારમૈયાને સીએમની ખુરશી સોંપવામાં આવી અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમની સીટ પર બેસાડવામાં આવ્યા. જોકે પહેલા એવી ચર્ચા હતી કે.કોંગ્રેસ રાજ્યમાં ત્રણ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવી શકે છે, પરંતુ હવે ડીકે શિવકુમાર જ ડેપ્યુટી સીએમ હશે.

સિદ્ધારમૈયા આ પહેલા તેઓ 2013 થી 2018 સુધી પ્રથમ CM કાર્યકાળ જોઈ ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિદ્ધારમૈયા ડીકેની સાથે 25-26 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. તેમાં ડીકે અને સિદ્ધારમૈયા બંનેના વફાદાર ધારાસભ્યોનો સમાવેશ થશે. કોંગ્રેસના CM પદની જાહેરાત બાદ બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્ણાટકના કોંગ્રેસ પ્રભારીએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આના પર સહમત થતા તમામ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા. આ પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

Read the Next Article

ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ; જાણો કેટલી મોંઘી બની રેલવેની મુસાફરી

આ નિર્ણય વધતાં ખર્ચ, ઇંધણના ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમજ રાહતના સમાચાર એ છે કે આ ભાવ વધારો અમુક કેટેગરીમાં જ કરવામાં આવ્યો છે. 

New Update
rail travel

મુસાફરોને આંચકો આપતાં ભારતીય રેલવેએ 1 જુલાઈ, 2025થી એસી અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે.

આ નિર્ણય વધતાં ખર્ચ, ઇંધણના ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમજ રાહતના સમાચાર એ છે કે આ ભાવ વધારો અમુક કેટેગરીમાં જ કરવામાં આવ્યો છે. 

રેલવેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ જો મુસાફરી 500 કિમીથી વધુ હોય, તો પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો ભાવ વધારાનો ચૂકવવાનો રહેશે.

આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેન(નોન-એસી)માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસો વધુ ચૂકવવા પડશે. તેમજ એસી ક્લાસ ટિકિટમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શહેરી ટ્રેનના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે. તેમજ પાસના રેટમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

અગાઉ રેલવેએ રિઝર્વેશનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે, જેમાં અગાઉ નિયમ હતો કે જો તમે ટ્રેન ટિકિટ અગાઉ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડી જતી હતી કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે આ નિયમમાં ફેરફાર કર્યો છે, જેના કારણે હવે કન્ફર્મ સીટ સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા જ જાહેર કરવામાં આવશે.

ટિકિટ બુકિંગની આ નવી સિસ્ટમની ટ્રાયલ 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ શરુ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી જ મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી.