કર્ણાટકમાં આજે બપોરે સિદ્ધારમૈયા લેશે CM પદના શપથ

New Update
કર્ણાટકમાં આજે બપોરે સિદ્ધારમૈયા લેશે CM પદના શપથ

કર્ણાટકમાં ચૂંટાયેલી સરકાર શનિવારે શપથ લેવા જઈ રહી છે. કોંગ્રેસના સિદ્ધારમૈયા રાજ્યના 30મા મુખ્યપ્રધાન તરીકે તેમનો બીજો કાર્યકાળ શરૂ કરવાના છે. મહત્વનું છે કે, કર્ણાટકમાં 13 મેના રોજ પરિણામ આવતા કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી. બહુમતીનો આંકડો હાંસલ કર્યા પછી કોંગ્રેસે સીએમ પસંદ કરવા માટે લાંબું વિચારમંથન કર્યું હતું. જેમાં ખૂબ વિચાર કર્યા પછી, સિદ્ધારમૈયાને સીએમની ખુરશી સોંપવામાં આવી અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમની સીટ પર બેસાડવામાં આવ્યા. જોકે પહેલા એવી ચર્ચા હતી કે.કોંગ્રેસ રાજ્યમાં ત્રણ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવી શકે છે, પરંતુ હવે ડીકે શિવકુમાર જ ડેપ્યુટી સીએમ હશે.

સિદ્ધારમૈયા આ પહેલા તેઓ 2013 થી 2018 સુધી પ્રથમ CM કાર્યકાળ જોઈ ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિદ્ધારમૈયા ડીકેની સાથે 25-26 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. તેમાં ડીકે અને સિદ્ધારમૈયા બંનેના વફાદાર ધારાસભ્યોનો સમાવેશ થશે. કોંગ્રેસના CM પદની જાહેરાત બાદ બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્ણાટકના કોંગ્રેસ પ્રભારીએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આના પર સહમત થતા તમામ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા. આ પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

Read the Next Article

15 ઓગસ્ટને લઈને હાઈ એલર્ટ, આતંકવાદીઓ રાજધાની દિલ્હીને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે

સુરક્ષા એજન્સીઓએ 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)ને લઈને મોટું એલર્ટ જારી કર્યું છે. આ સમય દરમિયાન આતંકવાદીઓ રાજધાની દિલ્હીને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે.

New Update
8

સુરક્ષા એજન્સીઓએ 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)ને લઈને મોટું એલર્ટ જારી કર્યું છે. આ સમય દરમિયાન આતંકવાદીઓ રાજધાની દિલ્હીને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે.

માહિતી અનુસાર, ખાલિસ્તાન આતંકવાદી સંગઠનો અને ખાલિસ્તાન સમર્થક અસામાજિક તત્વો ૧૫ ઓગસ્ટના રોજ વાતાવરણ બગાડી શકે છે. દિલ્હીને Ak47, RDX અને હેન્ડ ગ્રેનેડથી નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકાય છે. ૧૫ ઓગસ્ટને ધ્યાનમાં રાખીને શીખ ફોર જસ્ટિસના સ્લીપર સેલ પણ દિલ્હીમાં વાતાવરણ બગાડી શકે છે.

માહિતી અનુસાર, ગુરપતવંત સિંહ પન્નુના ઈશારે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા અને સંવેદનશીલ વિસ્તારોમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આ લોકો સંવેદનશીલ વિસ્તારોમાં ખાલિસ્તાન સમર્થક નારા લખીને વાતાવરણ બગાડી શકે છે.

આ એલર્ટ બાદ, દિલ્હી પોલીસના તમામ જિલ્લાઓ, ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ સેલને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સ્પેશિયલ સેલને દિલ્હી પોલીસ હેડક્વાર્ટર તરફથી શીખ ફોર જસ્ટિસની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ખાસ સૂચનાઓ મળી છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે નવી દિલ્હીના લાલ કિલ્લા પર શોધખોળ દરમિયાન બે જૂના કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બંને કારતૂસ ક્ષતિગ્રસ્ત લાગે છે. તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, એક સર્કિટ બોર્ડ પણ મળી આવ્યું છે, જે પણ જૂનું લાગે છે. એવી શંકા છે કે તેનો ઉપયોગ કોઈ કાર્યક્રમમાં લાઇટિંગ માટે કરવામાં આવ્યો હશે. આ રિકવરી પછી, FIR પણ નોંધવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે.
Latest Stories