New Update
/connect-gujarat/media/post_banners/78289928161eed1e8283801176c46b4cd7aeb8a1ac2feb988a9022de75a55f7d.webp)
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે. એમાં તેણે 19 નવેમ્બરના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટ્રાવેલ નહીં કરવા લોકોને ચેતવણી આપી છે.પન્નુએ કહ્યું છે કે જો કોઈ આ દિવસે પ્રવાસ કરશે તો જીવનું જોખમ રહેશે.19 નવેમ્બરે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ પણ છે.પન્નુએ વીડિયોમાં ખાસ કરીને શીખ સમુદાયના લોકોને એર ઇન્ડિયાની ફ્લાઇટ ટાળવાની સલાહ આપી છે.