આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ વન-ડે, મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે શ્રેણીની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે

New Update
આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ વન-ડે, મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે

બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે શ્રેણીની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ પહેલા શ્રેણીની બીજી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ છેલ્લી મેચમાં શ્રેણીમાં બરોબરી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ છેલ્લી મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. એમેઝોન પ્રાઇમ પર આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ થશે. આ સિવાય ચાહકો ડીડી ફ્રી ડિશ પર મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. મેચનું ડીડી સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. હકીકતમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 T20 મેચોની શ્રેણીનું લાઇવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઇમ પર કરવામાં આવ્યું હતું, પરંતુ ડીડી સ્પોર્ટ્સ પર તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું ન હતું.

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચોની સીરીઝની ત્રીજી વનડે મેચ 30 નવેમ્બર, 2022એ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. શિખર ધવનની ટીમ આ મેચ જીતીને સીરીઝ 1-1 થી બરાબરી કરવા પ્રયાસ કરશે, તો સામે કેન વિલિયમસનની સેના પણ જીત મેળવીને સીરીઝ સીલ કરવાની પુરેપુરી કોશિશ કરશે. પહેલી વનડેમાં કીવી ટીમે ભારતીય ટીમને હરાવીને સીરીઝમાં લીડ બનાવી લીધી છે.

Latest Stories