આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ વન-ડે, મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે શ્રેણીની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે
બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે શ્રેણીની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ પહેલા શ્રેણીની બીજી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ છેલ્લી મેચમાં શ્રેણીમાં બરોબરી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ છેલ્લી મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. એમેઝોન પ્રાઇમ પર આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ થશે. આ સિવાય ચાહકો ડીડી ફ્રી ડિશ પર મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. મેચનું ડીડી સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. હકીકતમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 T20 મેચોની શ્રેણીનું લાઇવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઇમ પર કરવામાં આવ્યું હતું, પરંતુ ડીડી સ્પોર્ટ્સ પર તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું ન હતું.
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચોની સીરીઝની ત્રીજી વનડે મેચ 30 નવેમ્બર, 2022એ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. શિખર ધવનની ટીમ આ મેચ જીતીને સીરીઝ 1-1 થી બરાબરી કરવા પ્રયાસ કરશે, તો સામે કેન વિલિયમસનની સેના પણ જીત મેળવીને સીરીઝ સીલ કરવાની પુરેપુરી કોશિશ કરશે. પહેલી વનડેમાં કીવી ટીમે ભારતીય ટીમને હરાવીને સીરીઝમાં લીડ બનાવી લીધી છે.