વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની તબિયત બગડી, કિડનીની બીમારીથી પીડિત છે સંત
BY Connect Gujarat Desk13 April 2024 3:34 AM GMT
X
Connect Gujarat Desk13 April 2024 3:34 AM GMT
મથુરા-વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજની તબિયત અચાનક બગડી હતી. તેને તાત્કાલિક વૃંદાવનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પ્રેમાનંદ મહારાજને છાતીમાં દુખાવો થતો હતો. આ પછી તેમને સારવાર માટે રામ કૃષ્ણ સેવા આશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં લઇ ગયા બાદ તબીબોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. તપાસ બાદ તેમને રાત્રે 8 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પ્રેમાનંદ મહારાજની તબિયત હાલ સારી છે. તે સંપૂર્ણ સ્વસ્થ છે.સંત પ્રેમાનંદ મહારાજ કિડનીની બીમારીથી પીડિત છે અને ડાયાલિસિસ પણ કરાવે છે. પ્રેમાનંદ મહારાજ છટીકરા રોડ પરની શ્રી કૃષ્ણ શરણમ સોસાયટીથી રામનરેતી વિસ્તારમાં આવેલા તેમના આશ્રમ શ્રીભિત રાધા કેલી કુંજમાં જાય છે. લગભગ 2 કિલોમીટરની આ પદયાત્રા દરમિયાન હજારો લોકો મહારાજના દર્શન કરવા ઉમટી પડે છે.
Next Story