ઓરિસ્સામાં ટ્રેન દુર્ઘટના, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વળતર આપવાની કરી જાહેરાત

New Update
ઓરિસ્સામાં ટ્રેન દુર્ઘટના, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વળતર આપવાની કરી જાહેરાત

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓરિસ્સામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિજનો માટે રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલ મુસાફરો માટે રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે.

અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે તેઓ ઓરિસ્સા જઈ રહ્યા છે. ભુવનેશ્વર અને કોલકાતાથી પણ રેસ્ક્યુ ટીમો એકત્ર કરવામાં આવી છે. NDRF, રાજ્ય સરકાર અને એરફોર્સની ટીમો સ્થળ પર હાજર છે. તેમણે કહ્યું કે બચાવ કામગીરી માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.