ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આપશે હાજરી

New Update
રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું "નિયતીએ નક્કી કર્યું હતું કે...

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. આલોક કુમારના જણાવ્યા અનુસાર, લાલકૃષ્ણ અડવાણી તેમની વધતી જતી ઉંમરને કારણે તમામ કાર્યક્રમોમાં હાજરી આપી શકતા નથી, પરંતુ તેઓ 22મીએ યોજાનાર કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપશે. આલોક કુમારે કહ્યું ks, "અમે ખુશ છીએ કે 96 વર્ષની ઉંમરે અને તબિયત સારી ન હોવા છતાં, તેમણે આમંત્રણ સ્વીકાર્યું છે."

આ અગાઉ, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનમાં સહભાગી, રામ વિલાસ વેદાંતીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અભિષેક સમારોહ માટે લાલ કૃષ્ણ અડવાણીને અયોધ્યા લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, "લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રામ લલ્લાને પોતાની આંખે પ્રાણ પ્રતિષ્ઠા જોવી જોઈએ. તેથી તેમને ગર્ભગૃહ સુધી લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ."

Latest Stories