Connect Gujarat
દેશ

મહિલા T20 વર્લ્ડ કપ : ભારતે આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી

મહિલા T20 વર્લ્ડ કપ : ભારતે આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી
X

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું. વરસાદથી મેચ રોકાય હતી. બાદમાં હાર જીતનો નિર્ણય ડકવર્થ-લુઈસ નિયમથી આપવામાં આવ્યો હતો. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ 56 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. સ્મૃતિની શાનદાર બેટિંગ અને ભારતની આ જીત બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની જીત બાદ ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા T20 મહિલા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. આ સાથે જ ભારતીય ટીમ ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ બાદ અંતિમ ચારમાં પહોંચનારી બીજી ટીમ છે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તમામ ભારતીય ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ કપ ચોક્કસપણે જીતશે.

Next Story