દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં અતિક્રમણ વિરોધી અભિયાનને લઈને આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો સાથે બેઠક કરશે. બેઠક લગભગ 11 વાગ્યે શરૂ થશે. આ બેઠક અગાઉ 14 મેના રોજ નક્કી કરવામાં આવી હતી, પરંતુ આગલા દિવસે મુંડકામાં ભીષણ આગને કારણે તે રદ કરવામાં આવી હતી.