રાજકોટ : ધોરાજી સબજેલમાંથી મોબાઇલ મારફતે ચાલતા નેટવર્કનો “પર્દાફાશ”, જુઓ પોલીસને શું શું મળ્યું..!

New Update
રાજકોટ : ધોરાજી સબજેલમાંથી મોબાઇલ મારફતે ચાલતા નેટવર્કનો “પર્દાફાશ”, જુઓ પોલીસને શું શું મળ્યું..!

રાજકોટ જિલ્લાના ધોરાજી સબજેલમાંથી સંયુક્ત ઝડતી દરમ્યાન જેલમાંથી મોબાઇલ મારફતે ચાલતા નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેમાં મોબાઈલ સહિત અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતા જેલ પ્રસાશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ધોરાજી સબજેલમાંથી મોબાઇલ મારફતે બહારની વ્યક્તિઓ સાથે વાતચીત કરી જેલમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે મોબાઈલ રાખી તથા અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતા ગ્રામ્ય પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. ધોરાજી સબજેલમાં આરોપીઓ વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી બગડા બેરેક નંબર 1 તથા નવનીત પ્ર ચલ્લા બેરેક નંબર 4 તેમજ સલીમ ઉમર સાંધ ઉર્ફે અલી શરીફ સાંધ બેરેક નંબર 7 પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે મુદ્દામાલમાં આરોપીઓ પાસેથી ટચ સ્ક્રીનવાળો એક મોબાઈલ ફોન, એક સાદો મોબાઈલ, પાણી ભરવાના જગમાં છુપાવેલ બે પિનવાળું સોકેટ સાથે વાયરનું ગૂંચળું, એક મોબાઈલ ચાર્જર તથા એક પ્લગનું એડેપ્ટર મળી આવ્યું હતું. તો સાથે જ જુદી જુદી બેરેકોમાંથી તમ્બાકુની પડીકીઓ, બીડીની જુડીઓ તથા માચીસ, પાન-માવાના પાર્સલ મળી કુલ 6860 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા તમામ સામાન પોલીસે જપ્ત કરી આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories
    Read the Next Article

    BCCI એ એક મહત્વપૂર્ણ લીધો નિર્ણય, સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

    New Update
    scss

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

    BCCI એ હવે પોતાની સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો ખાસ કરીને લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિયમથી ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવશે.

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી 2025-26 ની સ્થાનિક ક્રિકેટ સિઝનથી રેડ-બોલ મેચોમાં નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ICC ના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ જેવો જ છે. હવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેલાડી માટે ફક્ત લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટની જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંત અને ક્રિસ વોક્સના કેસ પછી લેવામાં આવ્યો છે. આ નિયમ હાલમાં માત્ર રેડ-બોલ અને અંડર-19 CK નાયડુ ટ્રોફીમાં લાગુ થશે, જ્યારે વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં નહીં.

    Latest Stories