ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ ગુરુવાર, 23 ઓક્ટોબરે એડિલેડના એડિલેડ ઓવલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા

New Update
India-vs-Australia

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ ગુરુવાર, 23 ઓક્ટોબરે એડિલેડના એડિલેડ ઓવલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા પર્થમાં DLS પદ્ધતિ હેઠળ શ્રેણીની પહેલી મેચ સાત વિકેટથી હારી ગઈ હતી. આ મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. આ મેચ સવારે 9:00 વાગ્યે શરૂ થશે.

એડિલેડ વન-ડેમાં બધાની નજર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. આ મેદાન પર કોહલીનો એક નોંધપાત્ર રેકોર્ડ છે. કોહલીએ એડિલેડ ઓવલ ખાતે ત્રણેય ફોર્મેટમાં 12 મેચ રમી છે, જેમાં 65ની સરેરાશથી 975 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોહલીએ પાંચ સદી ફટકારી છે. કોહલીએ આ મેદાન પર ચાર વન-ડે મેચ રમી છે, જેમાં 61.00 ની સરેરાશથી 244 રન બનાવ્યા છે અને તેમાં બે સદીનો સમાવેશ થાય છે. હવે, કોહલી ફરી એકવાર તેના મનપસંદ મેદાન પર ધૂમ મચાવવાનો પ્રયાસ કરશે.

વિરાટ કોહલીની જેમ ભારતીય ટીમે પણ એડિલેડ ઓવલ ખાતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે આ મેદાન પર 15 વન-ડે રમી છે, જેમાંથી નવમાં જીત મેળવી છે. તેમણે પાંચ મેચ ગુમાવી હતી, જેમાં એક મેચ ટાઇમાં સમાપ્ત થઈ હતી. ભારતીય ટીમની આ મેદાન પર વન-ડે મેચમાં છેલ્લી હાર 17 ફેબ્રુઆરી, 2008ના રોજ થયો હતો.

Latest Stories