Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતીય ટીમને મોટો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ટીમમાંથી થયા આઉટ

ભારતીય ટીમને મોટો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ટીમમાંથી થયા આઉટ
X

ભારતીય ટીમના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે કારમી હાર બાદ હવે બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે કે બે સ્ટાર ખેલાડીઓ ટીમમાંથી આઉટ થઇ ગયા છે. ખરેખરમાં, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જેડજા અને મિડલ ઓર્ડર બેટ્સમેન કેએલ રાહુલ વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે.

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને બે મોટા ઝટકા લાગ્યા છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે અને બીજી ટેસ્ટ માટે ટીમની બહાર છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે. બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા છે, જ્યારે રાહુલને ક્વાડ્રિસેપ્સની ઈજા છે.

બીસીસીઆઈએ કહ્યું કે, મેડિકલ ટીમ આ બંને પર નજર રાખી રહી છે. આ સાથે જ પસંદગી સમિતિએ આ બંનેના સ્થાને ત્રણ ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. બેટ્સમેન સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુંદર ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા A ટીમનો ભાગ હતો. હવે સુંદરના સ્થાને સરંશ જૈનને ઈન્ડિયા-એમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીથી અમદાવાદમાં રમાશે.

Next Story