Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય તેવી બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના એલાન બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતને આપી ધમકી

ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય તેવી બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના એલાન બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતને આપી ધમકી
X

ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ફરી વાર વિવાદ પેદા થયો છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના એલાન બાદ 2023ના એશિયા કપની મેજબાની છીનવાતા પાકિસ્તાન ખળભળી ઉઠ્યું છે અને તેના બોર્ડે ભારતની સીધી ધમકી આપતા એશિયન ક્રિકેટ કાઉન્સિલમાંથી હટવાનું જણાવ્યું છે.

પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ એવું પણ કહ્યું કે જો ભારત 2023નો એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ આવતા વર્ષે થનારા વનડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય. જો ભારત એશિયા કપ રમવા ન આવે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આગામી વર્ષે થનારા વનડે વર્લ્ડ રમવા ભારત આવવાનો ઈન્કાર કરશે. સાથે એશિયન ક્રિકેટ કાઉન્સિલમાંથી હટી જવાની પણ વાત કરી છે.

Next Story